Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતના કયા મોટા ઉદ્યોગપતિ સામે શિક્ષિકાએ નોંધાવી છેડતીની ફરિયાદ?

Webdunia
મંગળવાર, 1 સપ્ટેમ્બર 2020 (16:25 IST)
શહેરની ગજેરા ગ્લોબલ સ્કૂલના ટ્રસ્ટી અને જાણીતા ઉદ્યોગપતિ ચુની ગજેરા સામે શક્ષિકાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. બિભત્સ ચેનચાળા અને માનસિક ત્રાસનો શિક્ષિકાનો આરોપ છે. શિક્ષિકાએ અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, સુરતની આદર્શ સોસાયટી ખાતે રહેતા સ્કૂલના ટ્રસ્ટી ચુનીલાલ ગજેરાએ 15 ડિસેમ્બર 2018થી 27મી માર્ચ 2019 દરમિયાન શિક્ષિકા સાથે બિભત્સ ચેનચાળા કરી માનસિક ત્રાસ આપ્યો હતો. પોલીસે શિક્ષિકાની ફરિયાદને આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આ અંગે માહિતી આપી હતી કે, શિક્ષિકાબેન સ્કૂલમાં નોકરી કરતા હતા, તે દરમિયાન એક ટ્રસ્ટીએ બેનની છેડતી કરી હતી. એ બાબતે ગુનો દાખલ કરેલો છે. ટ્રસ્ટીએ મોબાઇલ પર પણ ખરાબ મેસેજ પણ મોકલ્યા હતા. તેમજ રૂબરૂમાં બોલાવીને પણ છેડતી કર્યાની ફરિયાદ નોંધાવી છે. હાલ, તપાસ ચાલું છે. પુરાવા મળશે, તે રીતે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
 
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments