Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં રત્નકલાકારો માટે પેકેજ જાહેર કરવા રાજ્ય સરકાર સમક્ષ માંગ

Webdunia
સોમવાર, 13 જુલાઈ 2020 (15:54 IST)
સુરતમાં કોરોના સંક્રમણના કેસો વધ્યા પછી બે મુખ્ય વેપાર ધંધા ટેકસ્ટાઇલ અને ડાયમંડને અસર થઇ છે. ડાયમંડ ઉદ્યોગમાં ઘણાં એકમો બંધ છે અને તેને કારણે રત્ન કલાકારો હાલાકી ભોગવી રહ્યાં છે. ડરના માર્યા ઘણાં રત્નકલાકારો વતન જઈ રહ્યાં છે. રોજગારી ગુમાવનાર રત્નકલાકારો માટે રુ. 1000 કરોડનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એવી માંગ મૂકવામાં આવી છે. રત્ન કલાકાર વિકાસ સંઘે માગણી મૂકતાં જણાવ્યું છે કે, કોરોના સંક્રમણને કારણે રત્ન કલાકારો એકમો બંધ થયાં હોવાથી વતન નીકળી રહ્યાં છે, અત્યારે રોજગારી નથી. વળી જો કોરોના સંક્રમિત થવાના કિસ્સામાં હોસ્પિટલ દાખલ થવું પડે તો, સરકાર તરફથી કોઇ વ્યવસ્થા કરવામાં આવી નથી. લઠ્ઠાકાંડમાં મૃત્યુ પામનારને સરકાર તરફથી સહાય આપવામાં આવતી હોય છે, ત્યારે હાલના સંજોગોમાં મૃત્યુ પામનારના પરિવારજનોને રુ. 5 લાખનું પેકેજ આપવામાં આવે અને રત્ન કલાકારોને આર્થિક સહાય આપી શકાય તે માટે એક પેકેજ જાહેર કરવામાં આવે તેવી માંગ મૂકવામાં આવી છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments