Webdunia - Bharat's app for daily news and videos

Install App

31મીએ પાટીદારો સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણથી અળગા રહે તેવી શક્યતાઓ

Webdunia
શુક્રવાર, 26 ઑક્ટોબર 2018 (12:01 IST)
સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ અગાઉ ભાજપ સરકારે વિરોધવંટોળનો સામનો કરવો પડે તેમ છે કેમકે, આદિવાસીઓએ ચૂલા નહી સળગાવીને વિરોધ કરવા એલાન કર્યુ છે ત્યા હવે પાટીદારોએ પણ સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ કાર્યક્રમથી અળગા રહેવા નક્કી કર્યુ છે.
૩૧મીએ એસપીજીએ રાજકોટમાં એક વિશાળ કર્મવીર રેલી યોજવા આયોજન ઘડયુ છે. એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે ભાજપ પર આક્ષેપો કરતાં જણાવ્યું કે, સરદાર તો ખેડૂતોના હામી હતા પણ ભાજપ તો ખેડૂતોની વિરોધી હોય તેવુ વર્તી રહી છે. ભાજપ માત્રને માત્ર સરદારના નામે રાજનીતિ રમી રહી છે.અનામત ન મળતાં નારાજ પાટીદારોને ભાજપ પ્રત્યે આકર્ષિત કરવાનો આ રાજકીય કારસો જ છે.
સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતિના દિવસે મહેસાણાથી ૧૪૩ કારોનો કાફલો રાજકોટ જવા રવાના થશે. આ રેલીમાં સરદાર પટેલ ઉપરાંત માં ખોડલની સુશોભિત પ્રતિમા હશે. રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરવામાં આવશે. આમ,સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાપર્ણ કાર્યક્રમની સમાંતર પાટીદારોએ પણ કાર્યક્રમ આયોજિત કર્યો છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments