Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્યના 519 માછીમારો પાકિસ્‍તાનની જેલમાં છે, માત્ર 20 જ છૂટયા,માછીમારોને મુક્ત કરવા કેન્દ્રમાં 18 વાર રજૂઆત

Webdunia
ગુરુવાર, 17 માર્ચ 2022 (10:55 IST)
રાજ્યના 519 માછીમારો પાકિસ્‍તાનની જેલમાં છે, સને 2020માં 163 અને સને 2021માં 195 મળીને બે વર્ષમાં 358 માછીમારોને પાકિસ્‍તાન દ્વારા પકડવામાં આવેલ છે. રાજ્ય સરકારે વર્ષ 2020માં 7 વાર અને 2021માં 11 વાર રજૂઆતો મળી કુલ 18 વાર રજૂઆતો કરીને ભારત સરકારના ગૃહ મંત્રાલયને પુરી પાડી છે તેમ છતાં ગુજરાતના માછીમારોને વહેલી તકે છોડાવવા ભારત સરકાર દ્વારા યોગ્‍ય કાર્યવાહી કરવામાં આવતી નથી એવો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.


પાકિસ્‍તાન દ્વારા પકડાયેલ ગુજરાતી માછીમારોના કુટુંબના જીવન નિર્વાહ માટે રાજ્ય સરકાર દ્વારા દૈનિક માત્ર 300ની જ સહાય આપવામાં આવે છે. આવા માછીમાર કુટુંબો સંખ્‍યા સને 2020માં 184 અને સને 2021માં 323 છે. રાજ્યના 519 માછીમારો જેલમાં છે પણ સહાય 323 કુટુંબોને જ ચુકવવામાં આવે છે. પાકિસ્‍તાનની જેલમાં 519 માછીમારો છે, સને 2020માં 163 અને 2021માં 195 માછીમારોને પાકિસ્‍તાન દ્વારા પકડવામાં આવેલ છે, તે પૈકી બે વર્ષમાં રાજ્યના માત્ર 20 માછીમારોને પાકિસ્‍તાનની જેલમાંથી છોડાવવામાં આવ્‍યા છે.સરકારનું કહેવુ છેકે, પાકિસ્તાની જેલમાં માછીમારોને છોડાવવા માટે ગુજરાત સરકારે વર્ષ 2020માં સાત વાર અને વર્ષ 2021માં અગિયાર વાર એમ કુલ મળીને 18 વાર રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાંય વિપક્ષનો આરોપ છેકે, ગુજરાત સરકાર માછીમારોને વહેલી તકે છોડાવવા કેન્દ્ર સરકાર દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી. મહત્વની વાત એછેકે, છેલ્લા બે વર્ષમાં પાકિસ્તાનની જેલમાંથી માત્ર 20 માછીમારો જ મુક્ત કરાયા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Who is Vasundhara Oswal: કોણ છે વસુંધરા ઓસવાલ ? જેની યુગાંડા પોલીસે કરી ધરપકડ, અરબપતિ બિઝનેસમેનની 26 વર્ષીય પુત્રીને Google પર શોધી રહ્યા છે લોકો

Shocking: Mcdonald નુ Burgers ખાવાથી એકનુ મોત, 49 લોકો હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં ચાર બિલ્ડરો પર ઈન્કમટેક્સ સર્વે, 20થી વધુ સ્થળોએ દરોડા

Chana chat in Train - શું તમે પણ ટ્રેનમાં ચણા ખાઓ છો તો એક વાર આ વીડિયો જોઈ લો

ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાજપા ના સક્રિય સભ્ય બન્યા છે

આગળનો લેખ
Show comments