Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં ચોંકાવનારો કિસ્સોઃ ચોથા ધોરણમાં ભણતા બાળકે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું

Webdunia
શુક્રવાર, 2 ઑગસ્ટ 2024 (12:44 IST)
ગુજરાતમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યાં છે. સુરતમાં એક 10 વર્ષના બાળકે ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. બાળકે કોઈ બાબતે માઠુ લાગતા રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દોરડાથી ગળે ફાંસો ખાતા તેનુ મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. પોલીસે બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. જોકે હજી સુધી આપઘાત કયા કારણે કર્યો તેનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. 
 
સોસાયટીમાંથી રમીને આવ્યા બાદ ઘરમાં ફાંસો ખાધો
પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતા અવધેશભાઈ લુમ્સના કારખાનામાં નોકરી કરે છે. તેમના પરિવારમાં માતા-પિતા, પત્ની, બે દીકરા અને એક દીકરી છે. જે પૈકી નાનો દીકરો યશકુમાર 10 વર્ષનો હતો અને ઘરની નજીક આવેલી સ્કૂલમાં ચોથા ધોરણમાં ભણતો હતો. ગતરોજ યશકુમાર અને તેનો ભાઈ બંને સાંજે સોસાયટીમાં રમીને બંને ઘરે આવ્યા હતા. અચાનક જ યશે રૂમનો દરવાજો બંધ કરી સિલિંગમાં લગાવેલ હુકમાં બાંધેલ દોરડા સાથે શર્ટ બાંધી ફાંસો ખાધો હતો. મોટાભાઈએ દરવાજો ખખડાવતા ખોલ્યો ન હતો. ત્યારબાદ દરવાજો ખોલી અંદર પ્રવેશતા નાનો ભાઈ લટકતી હાલતમાં મળી આવ્યો હતો.
 
10 વર્ષના બાળકે આપઘાત કરતા તબીબ પણ ચોંક્યા
આ અંગે પિતાને જાણ થતા દીકરાને નીચે ઉતારી સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેને તપાસીને મૃત જાહેર કર્યો હતો. માત્ર 10 વર્ષના બાળકે આપઘાત કરતા તબીબ પણ ચોંકી ગયા હતા. તબીબે પણ પરિવારને દીકરાના આપઘાતના કારણ અંગે પૂછ્યું હતું. જોકે, પરિવારને કંઈ જ ખ્યાલ નહોતો.પાંડેસરા પોલીસ દ્વારા પરિવારજનોના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. ACP ઝેડ. આર. દેસાઈએ જણાવ્યું હતું કે, 10 વર્ષના બાળકના આપઘાતનું કોઈ ચોક્કસ કારણમાં મળ્યું નથી. જોકે, બે ભાઈઓ વચ્ચે કોઈ તકરાર અથવા પરિવારમાં કોઈ તકરાર બાદ આવેશમાં આવીને આ પગલું ભર્યું હોય એવી શક્યતા જણાઈ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદમાં ગોંમાસનીચરબી અને માછલીનું તેલ હોવાની પુષ્ટિ, TDP એ બતાવી લેબ રિપોર્ટ

રવિચંદ્રન અશ્વિને બેટથી બતાવ્યો જાદુઈ અવતાર, એમએસ ધોનીના ઐતિહાસિક રેકોર્ડની કરી બરાબરી

સૂરત આર્થિક ક્ષેત્ર ગુજરાતને 3500 અરબ ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં મોટી ભૂમિકા ભજવશે - પટેલ

દેશનુ ગ્રોથ એંજિન ગુજરાત એવુ જ ગુજરાતનુ ગ્રોથ એંજીન સૂરત - સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ

કોંગ્રેસ અને પાકિસ્તાનના ઈરાદા એક જેવા, 370 પર પાક મંત્રીના દાવા પછી અમિત શાહનો કરારો જવાબ

આગળનો લેખ
Show comments