Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાલોલમાં સાબરમતી ગેસ પાઈપલાઈનના કારણે કોઈ બ્લાસ્ટ થયો નથી

કાલોલ
Webdunia
શુક્રવાર, 25 ડિસેમ્બર 2020 (12:43 IST)
કાલોલના ગાર્ડન સિટી વિસ્તારમાં સ્થિત એક બંધ ઘરમાં 22/12/2020ની વહેલી સવારે બ્લાસ્ટ થયો હતો. આ ઘટના પર વધુ પ્રકાશ પાડતાં સાબરતી ગેસ લિમિટેડે (SGL) જણાવ્યું છે કે 158 નંબરના ઘરમાં આ બ્લાસ્ટ થયો હતો, જોકે એક વર્ષ પહેલાં એટલે કે વર્ષ 2019માં જ આ ઘરમાં પીએનજી ગેસનું કનેક્શન સાબરમતી ગેસ લિમિટેડ દ્વારા કાપી નાખવામાં આવ્યું હતું અને લાંબા સમયથી તે ઘરમાં કોઈ ગેસ પહોંચતો નહોતો. કંપનીએ વધુમાં જણાવ્યું કે તેની બાજુમાં આવેલા ઘર નંબર 159 એ ક્યારેય પણ સાબરમતી ગેસ લિમિટેડનું પીએનજી કનેક્શન લીધું જ નથી. 
 
પરિસ્થિતિ વિશે વધુ ચોખવટ કરતા કંપનીએ જણાવ્યું કે જ્યાં બ્લાસ્ટ થયો હતો, તે ઘર નં.158માં SGL એ પીએનજી લાઇનને મીટરથી પ્લગ કરી હતી અને આ મીટર ઘરના રસોડાની બહાર લગાવવામાં આવ્યું હતું અને એકવાર 2019માં જ્યારે પીએનજી લાઈનનું આ પ્લગિંગ બંધ કરી દેવામાં આવ્યું, તો પછી તે ઘરમાં SGLની પાઈપલાઈનમાંથી ગેસ પ્રવેશ્યો હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. 
 
આજે થયેલી તપાસ મુજબ, SGLની ટીમે અસરગ્રસ્ત વિસ્તારમાં પથરાયેલા તેના સમગ્ર નેટવર્કને સ્કેન કર્યું હતું અને ઘટનાસ્થળે ખોદકામ કરતા જાણવા મળ્યું છે કે SGLની પાઈપલાઈન એકદમ સાબૂત છે અને તેમાં કોઇપણ જાતનું લીકેજ જોવા મળ્યું નથી. આજની તપાસ પછી એવું પણ જણાવવામાં આવ્યું છે કે અસરગ્રસ્ત વિસ્તારમાં ગુજરાત ગેસ લિમિટેડની પણ કોઈ પાઈપલાઈન નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

જો તમે નવરાત્રી દરમિયાન ઉપવાસ કરી રહ્યા છો, તો જાણો શું ખાવું અને શું ન ખાવું? નબળાઈ ન લાગે તે માટે

આ નવરાત્રીમાં માતા રાણીને અર્પણ કરો સીતાભોગ, જાણો રેસિપી

વધુ જુઓ..

નવીનતમ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

આગળનો લેખ
Show comments