Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં આ વખતે ઉનાળામાં રેકોર્ડબ્રેક ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી

Webdunia
મંગળવાર, 3 એપ્રિલ 2018 (00:17 IST)
અમદાવાદ સહિત રાજ્યભરમાં ઉનાળાનું પ્રભુત્વ વધવા લાગ્યું છે. ગુજરાતમાં આ વખતે ગરમી અગાઉના અનેક રેકોર્ડ તોડી શકે છે તેવી ભારતીય હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં ૨૦૧૬ના વર્ષના ઉનાળામાં ગરમીનો પારો ૪૯ ડિગ્રીએ પહોંચતા ૧૦૦ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો હતો. હવે ભારતીય હવામાન વિભાગે કરેલી વિક્રમી ગરમીની આગાહી જ પરસેવો છોડાવી દેવા માટે સક્ષમ છે. ભારતીય હવામાન વિભાગના મતે આ વર્ષે ઉનાળાનો વહેલો પ્રારંભ થયો છે અને તે સંકેત આપે છે કે આ વખતે વધુ કાળઝાળ ગરમી પડી શકે છે. આ વખતે જ્યાં વિક્રમી ગરમી પડી શકે છે તેમાં ગુજરાત ઉપરાંત પંજાબ, દિલ્હી, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, ઝારખંડનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં સાધારણ કરતા ૧ ડિગ્રી કે તેથી વધુ ગરમી પડી શકે છે. જાણકારોના મતે કાળઝાળ ગરમી માત્ર મનુષ્યોના સ્વાસ્થ્ય પર જ નહીં પાક તેમજ વીજ પુરવઠા ઉપર પણ અસર પાડે છે. ગુજરાતમાં છેલ્લા બે વર્ષથી એપ્રિલ-મે મહિનામાં ગરમીનો પારો કમસેકમ એકવાર ૪૭ ડિગ્રીને પાર થાય છે. ભારતીય હવામાન વિભાગે તેના ડ્રાફ્ટ રિપોર્ટમાં જણાવ્યું છે કે ૨૦૧૭નું વર્ષ ભારત માટે ચોથું સૌથી ગરમ વર્ષ વર્ષ રહ્યું હતું. જેમાં પણ જાન્યુઆરીથી જ ગરમીની અસર શરૃ થઇ ગઇ હતી. આ વખતે પણ ગુજરાતમાં ગરમીનો વહેલો પ્રારંભ થયો હોવાથી ઉનાળો નવા રેકોર્ડ તોડે તેની પૂરી સંભાવના છે. હાલની વાત કરવામાં આવે તો ભારે ગરમીથી ગુજરાતમાં છેલ્લા ૧૦ દિવસમાં ૩ લોકોના મૃત્યુ થયા છે. ભારતમાં ૨૦૧૨થી ૨૦૧૬ એમ ચાર વર્ષમાં ૪૬૨૦ લોકો હિટ વેવજી જીવ ગુમાવી ચૂક્યા છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

વધુ જુઓ..

નવીનતમ

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

RIP Manoj Kumar: આ ફિલ્મને જોતા જ મનોજ કુમારે બદલી નાખ્યુ હતુ પોતાનુ નામ, આ હતુ અસલી નામ

Manoj Kumar Death: 'ભારત કી બાત સુનાતા હું કહેનારા મનોજ કુમાર નું નિધન, 87 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

આગળનો લેખ
Show comments