Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ બંધ કરાવવા આવતાં સંગઠનો પર પોલીસનો લાઠી ચાર્જ

સુરતમાં ટેક્સટાઈલ માર્કેટ બંધ કરાવવા આવતાં સંગઠનો પર પોલીસનો લાઠી ચાર્જ
, સોમવાર, 2 એપ્રિલ 2018 (23:01 IST)
એસસી-એસટી એક્ટના કાયદામાં ફેરફાર વિશે સુપ્રીમ કોર્ટમાં નિર્ણય સામે મોટી સંખ્યામાં દલિત સંગઠનો દ્વારા આજે ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે. જેને પગલે દક્ષિણ ગુજરાતમાં ઠેર-ઠેર દલિત સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. વલસાડ, નવસારી સહિત સુરતમાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જેને લઈને સુરતમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. દરમિયાન ટેક્સટાઈમ માર્કેટ બંધ કરવવામાં આવતા પોલીસે લાઠી ચાર્જ કરવાની ફરજ પડી છે. થોડા દિવસ પહેલાં સુપ્રીમ કોર્ટે એસસી-એસટીનો ખોટો દૂર ઉપયોગ થતો હોવાની વાત કરી હતી અને ત્યારપછી એમાં થોડા ફેરફાર કર્યા હતા. જેને લઈને દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું છે.
webdunia

જેને પગલે ભારતભરમાં દલિત સંગઠનો દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. વલસાડ અને નવસારીમાં દલિત સંગઠનો દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. જ્યારે સુરતમાં દલિત સંગઠનો દ્વારા રિંગરોડ આંબેડકર પ્રતિમા પાસે એકઠાં થઈ વિરોધ નોંધાવી રહ્યા છે. ભારતબંધના એલાનના પગલે સુરત પોલીસ દ્વારા પહેલાં જ સાવચેતીના પગલે ઠેર-ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

જાણો શુ છે SC-ST એક્ટ, દલિતોના સન્માનની રક્ષા કરે છે આ કાયદો.. સુપ્રીમ કોર્ટે કર્યો આ ફેરફાર