Webdunia - Bharat's app for daily news and videos

Install App

રથયાત્રા દરમિયાન કરફ્યું હોવાથી મુસાફરો અટવાયા, પોલીસની માનવતા મહેકી

Webdunia
સોમવાર, 12 જુલાઈ 2021 (11:43 IST)
આજે અષાઢી બીજના નિમિત્તે શહેરમાં શરતોને આધીન રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રથયાત્રા દરમિયાન જાહેરનામું બહાર પાડીને કરફ્યું લાદવામાં આવ્યો હતો. 
 
કરફ્યું દરમિયાન બહાર ગામ જવા નિકળેલા અને બહારથી આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. કાલુપુર સ્ટેશનથી પહોંચવા માટે તેમને સામાન ઉપાડીને ચાલતા પહોંચવાનો વારો આવ્યો હતો. 
 
કાલુપુર રેલવે સ્ટેશન પર મુસાફરોની અવર જવર ચાલુ છે પરંતુ રથયાત્રાના કારણે કરફ્યું હોવાથી વાહન વ્યવહાર બંધ હોવાથી લોકોને મુશ્કેલી વેઠવાનો વારો આવોય હતો. ત્યારે પોલીસ અમદાવાદ પોલીસે માનવતાનું ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. રથયાત્રાના રૂટ પર નિકળેલા રાહદારીઓને વારે અમદાવાદ પોલીસ આવી હતી. સ્થાનિક પોલીસે પોલીસનાં વાહનોમાં પ્રવાસીઓને અન્ય સ્થાને લઈ જવામાં મદદ કરી, જેને કારણે અટવાયેલા મુસાફરોમાં આનંદ જોવા મળ્યો અને તેમણે ખુશી વ્યક્ત કરી હતી.
 
અત્રે ઉલ્લેખનીય છે કે આજે રથયાત્રા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થઇ ગઇ છે. અત્યારે રથયાત્રા નિજમંદિરે પરત ફરી છે. અમદાવાદમાં ભગવાન જગન્નાથ સઘન પોલીસ-બંદોબસ્ત વચ્ચે નગરચર્યાએ નિકળ્યા હતા.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments