Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિમા સહિત આનુષાંગિક ભાગો જોવાના દરો

સ્ટેચ્યુ ઓફ યુનિટી
Webdunia
મંગળવાર, 27 નવેમ્બર 2018 (15:28 IST)
સરદાર પટેલની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેવડિયા ખાતે નિર્માણ કરાયું છે. આ પ્રતિમા સહિત વિવિધ ભાગો જોવા માટેના દરો નિયત કરાયા છે. જેમાં બસ ટીકીટ, એન્ટ્રી ટીકીટ, વ્યુઇંગ ગેલેરી ટીકીટ તથા એક્સપ્રેસ ટીકીટના દરોનો સમાવેશ કરાયો છે. સ્મારક જોવાનો સમય સવારે ૯.૦૦ થી ૫.૦૦ કલાકનો રહેશે અને દર સોમવારે સ્મારક બંધ રહેશે અને ઓનલાઈન ટીકીટ બુકીંગ www.soutickets.in ઉપર થઈ શકશે, એમ સરદાર વલ્લભભાઈ પટેલ, રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ – ગાંધીનગર દ્વારા જણાવાયું છે. 

“સ્ટેચ્યુ ઓફ યુનિટી” સ્મારકની મૂલાકાત લેનાર પ્રવાસીઓ માટે જે દરો નિયત કરાયા છે તે આ મુજબ છે 

(૧) બસની ટીકીટ રૂ.૩૦/- શ્રેષ્ઠ ભારત ભવન, “સ્ટેચ્યુ ઓફ યુનિટી”, વોલ ઓફ યુનિટી, પ્રદર્શન, ફૂડકોર્ટ, વેલી ઓફ ફ્લાવર્સ (કેવડીયા તરફ), રીવર બેડ પાવર હાઉસ, વ્યુ પોઈન્ટ, ગોડ બોલે ગેઈટ, ટેન્ટ સીટી, મેઈન કેનાલ હેડ રેગ્યુલર, વિગેરે સ્થળો જોવા મળશે.

(૨) એન્ટ્રી ટીકીટ :- બાળક (૩ થી ૧૫ વર્ષ) રૂ.૬૦/- અને પુખ્ત વયના લોકો માટે રૂ.૧૨૦/- એન્ટ્રી ટીકીટમાં વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝીયમ અને ઓડીયો – વિઝ્યુઅલ ગેલેરી, “સ્ટેચ્યુ ઓફ યુનિટી”, સરદાર સરોવર ડેમ નો સમાવેશ છે. તેમાં વ્યુઈંગ – ગેલેરીનો સમાવેશ નથી.

(૩) વ્યુઈંગ ગેલેરી ટીકીટ :- બાળક (૩ થી ૧૫ વર્ષ) રૂ.૨૦૦/- અને પુખ્ત વયના લોકો માટે રૂ.૩૫૦/-વ્યુઈંગ ગેલેરી, વેલી ઓફ ફ્લાવર્સ, મ્યુઝીયમ અને ઓડીયો-વિઝ્યુઅલ ગેલેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સરદાર સરોવર ડેમ, ઉપરોક્ત (૧) દર્શાવેલ તમામ સ્થળો અને ઉપરાંત વ્યુઈંગ – ગેલેરીનો સમાવેશ થાય છે. પ્રવાસી દ્વારા રૂ.૩૫૦ (વ્યુઈંગ ગેલેરી) + રૂ.૩૦ (બસ ટીકીટ) એટલે કે, કુલ રૂ.૩૮૦/- ની ટીકીટમાં તમામ સ્થળો જોઈ શકાય.

(૪) એક્સપ્રેસ ટીકીટ રૂ.૧૦૦૦/- છે. જેમાં વ્યુઈંગ ગેલેરી વિગેરે સ્થળો માટે લાઈન અલગ હોય છે. અને તુરંત ઓછા સમયમાં સ્થળ જોઈ શકાશે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

ગુજરાતી શાયરી - સબંધ

ગુજરાતી શાયરી - જિંદગી

ડાયાબિટીસનો ઘરેલું ઉપાય - આજથી જ આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો, ડાયાબિટીસ થશે કંટ્રોલ

ગરમીમાં પેટ માટે વરદાન બને છે આ મસાલો, ખાતા જ પેટની બળતરા અને એસિડિટી કરે છે દૂર

વધુ જુઓ..

નવીનતમ

Gujarati jokes - નવરત્ન તેલ

Gujarati jokes - છાપું

'ફિલ્મ જોવી હોય તો જુઓ નહીંતર ભાડમાં જાવ', કેસરી-2 ને લઈને ફેંસ પર કેમ નારાજ થયા આયુષ્યમાન ખુરાનાના ભાઈ ?

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

આગળનો લેખ
Show comments