Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી રાજકારણે ટકાવ્યો છે: કથાકાર રમેશભાઈ ઓઝા

Webdunia
સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (18:08 IST)
રામજી મંદિરે ચાલતી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે તેણે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે, જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી રાજકારણે ટકાવ્યો છે અને તે પાપ બીજા લોકોનું છે. અપશબ્દો બ્રાહ્મણોને પડે છે. હકીકત છે કે આજે પણ જાતિવાદને નામે ચૂંટણીઓ લડાઇ છે. સીધા જાતિવાદી ગણિતો મંડાઇ છે. કઇ જાતિના કેટલા વોટ છે આ વિસ્તારમાં તે અનુસાર ઉમેદવારો નક્કી થતા હોય છે. લોકોએ જાતિવાદના નામે વોટ આપે છે. વ્યાસપીઠ તો તમને જાગૃત કરવાની કોશિશ કરે છે કે જાતિવાદ છોડો. વર્ણવાદ નથી વર્ણ વ્યવસ્થા છે. જાતિ અને વર્ણ બંને જુદુ છે. જાતિ જન્મથી હોય છે અને વર્ણ કર્મ અને ગુણથી હોય છે. કૃષ્ણ ગીતામાં કહે છે કે ગુણ અને કર્મ અનુસાર ચાર વર્ણની વ્યવસ્થા છે અને તે કોના દ્વારા કૃષ્ણ કહે છે કે તે મે બનાવી છે મે. વર્ણને લઇને તમે ગાળો આપતા હોને તો સમજી જાજો કે ગાળ તેના સર્જકને પડે છે. તમારે ગીતાને માનવી અને ગીતાના ગાયકને ગાળો દેવી આ બંને વસ્તુ કોન્ટ્રાડીક્શન છે. જાતિ અલગ છે પૂરા દેશમાં લોકો આ બેવકૂફીનો શિકાર બને છે. જાતિ અને વર્ણને મિક્સ કરે છે. રંગને પણ વર્ણ કહેવાય. વર્ણ વ્યવસ્થા આ સનાતન ધર્મની ઓળખ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગ્રીન સલાદ બનાવવાની રીત-

સ્વામી વિવેકાનંદ ની વાર્તા

Birthday Wishes For Son - આ સુંદર મેસેજ દ્વારા તમારા દિકરાને આપો જન્મદિવસની શુભેચ્છા

Raw Mango chutney- કેરીની ચટણી બનાવવાની

Reduce electricity bill while using AC - વીજળીનું બિલ ઘટાડવા ACનો ઉપયોગ કેવી રીતે કરવો?

વધુ જુઓ..

નવીનતમ

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

ગુજરાતી જોક્સ - 500 ભેગા થયા છે

ગુજરાતી જોક્સ -દારૂડિયાનુ મોત

આગળનો લેખ
Show comments