Webdunia - Bharat's app for daily news and videos

Install App

જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી રાજકારણે ટકાવ્યો છે: કથાકાર રમેશભાઈ ઓઝા

Webdunia
સોમવાર, 9 સપ્ટેમ્બર 2019 (18:08 IST)
રામજી મંદિરે ચાલતી ભાઇશ્રી રમેશભાઇ ઓઝાની ભાગવત સપ્તાહનો આજે છઠ્ઠો દિવસ છે. ત્યારે તેણે વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું કે, જાતિવાદને બ્રાહ્મણોએ ટકાવ્યો નથી રાજકારણે ટકાવ્યો છે અને તે પાપ બીજા લોકોનું છે. અપશબ્દો બ્રાહ્મણોને પડે છે. હકીકત છે કે આજે પણ જાતિવાદને નામે ચૂંટણીઓ લડાઇ છે. સીધા જાતિવાદી ગણિતો મંડાઇ છે. કઇ જાતિના કેટલા વોટ છે આ વિસ્તારમાં તે અનુસાર ઉમેદવારો નક્કી થતા હોય છે. લોકોએ જાતિવાદના નામે વોટ આપે છે. વ્યાસપીઠ તો તમને જાગૃત કરવાની કોશિશ કરે છે કે જાતિવાદ છોડો. વર્ણવાદ નથી વર્ણ વ્યવસ્થા છે. જાતિ અને વર્ણ બંને જુદુ છે. જાતિ જન્મથી હોય છે અને વર્ણ કર્મ અને ગુણથી હોય છે. કૃષ્ણ ગીતામાં કહે છે કે ગુણ અને કર્મ અનુસાર ચાર વર્ણની વ્યવસ્થા છે અને તે કોના દ્વારા કૃષ્ણ કહે છે કે તે મે બનાવી છે મે. વર્ણને લઇને તમે ગાળો આપતા હોને તો સમજી જાજો કે ગાળ તેના સર્જકને પડે છે. તમારે ગીતાને માનવી અને ગીતાના ગાયકને ગાળો દેવી આ બંને વસ્તુ કોન્ટ્રાડીક્શન છે. જાતિ અલગ છે પૂરા દેશમાં લોકો આ બેવકૂફીનો શિકાર બને છે. જાતિ અને વર્ણને મિક્સ કરે છે. રંગને પણ વર્ણ કહેવાય. વર્ણ વ્યવસ્થા આ સનાતન ધર્મની ઓળખ છે.

સંબંધિત સમાચાર

આ રીતે બનાવો ચોખાની ક્રિસ્પી મસાલેદાર પુરી, એટલી નરમ કે તે મોંમાં ઓગળી જશે

પેટ માટે પંચામૃતનું કામ કરે છે આ વસ્તુઓ, ઉનાળામાં ખરાબ પાચન સુધારવા માટે તેને જરૂર પીવો.

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

Instant Idli - ઇન્સ્ટન્ટ ઇડલી કેવી રીતે બનાવવી

ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે અળસીના બીજ, વજન પણ ઘટશે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

Vinod Khanna Death Anniversary- આ 5 ફિલ્મો જે વિનોદને હીરો બનાવ્યા

Gujarat Day - ગુજરાતનો પ્રાચીન શું છે? ઈતિહાસમાં છુપાયેલા છે ઘણા ચોંકાવનારા રહસ્ય

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

અભિનેત્રી તમન્ના ભાટિયાને મહારાષ્ટ્ર સાઈબર સેલનુ સમન, આઈપીએલ 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગ સાથે જોડાયેલો છે મામલો

ગુજરાતી જોક્સ - પત્નીએ સુખડી

આગળનો લેખ
Show comments