Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ડોક્ટરોની હડતાળ, રાજકોટ સિવિલમાં OPD બંધ, સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર

Webdunia
સોમવાર, 17 જૂન 2019 (12:55 IST)
પશ્ચિમ બંગાળમાં ડોકટરો પર હુમલાના વિરોધમાં આજે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. હડતાળના પગલે અમદાવાદની નવી વીએસ હોસ્પિટલમાં દર્દીઓને હાલાકી પડી રહી છે. હોસ્પિટલમાં બતાવવામાં આવતા દર્દીઓને આજે ડોક્ટરોની હડતાળ હોવાનું જણાવી પાછા મોકલી દેવાયા હતા. દરેક દર્દીઓને પાછા જવું પડી રહ્યું છે. બીજી તરફ જૂની વીએસ હોસ્પિટલમાં તમામ ઓપીડીઓ ચાલુ છે. દર્દીઓ વહેલી સવારથી જ લાઈન લગાવીને બેઠા છે. જૂની વીએસમાં મોટાભાગના ડોક્ટરો આવ્યા છે અને ઓપીડી પણ શરૂ કરવામા આવી છે.   જૂની વીએસમાં મેડિકલ, સર્જિકલ, ઓર્થોપેડિક, ગાયનેક, બાળકોની તમામ ઓપીડીઓ ચાલુ છે. પ્રોફેસર, આસિ. પ્રોફેસર ડોક્ટર્સ આવ્યા છે, રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર છે. ઇમરજન્સી તમામ સેવાઓ ચાલુ છે.સૌરાષ્ટ્રના 6 હજારથી વધુ ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. જેમાં રાજકોટના 1650 ડોક્ટરો જોડાયા છે. દર્દીઓને મુશ્કેલી ન પડે તે માટે ઇમરજન્સી સારવાર ચાલુ રહેશે. તેમજ રાજકોટમાં સિવિલ હોસ્પિટલના જુનિયર ડોક્ટરો દ્વારા સિવિલથી કલેક્ટર કચેરી સુધી રેલી નીકળી હતી અને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કલકત્તામાં તબીબ પર થયેલા હુમલા સખત શબ્દોમાં વખોડી કાઢી વિરોધ કર્યો હતો. રાજકોટ સિવિલમાં ઓપીડી ચાલુ હતી પરંતુ થોડીવારમાં ડોક્ટરોએ આવીને જ બંધ કરાવી ગયા હતા. વાંકાનેર સહિત સૌરાષ્ટ્રભરમાંથી આવેલા દર્દીઓને સારવાર મળી નથી. બીપી, ચક્કર, તાવ, શરદી જેવી બીમારીના દર્દીઓએ કહ્યું હતું કે સવારના હેરાન થઇએ છીએ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ઘરે પર આ 5 steps માં બનાવો મલાઈ કોફતા અને સ્વાદનો લો મજા

તજ અને વરિયાળીનું પાણી આરોગ્ય માટે છે લાભકારી, ખાલી પેટ પીશો તો વજન અને શુગર રહેશે કંટ્રોલમાં

કુટીનો દારો નો ચીલા

Jade Plant- જેડના પ્લાંટમાં આ એક વસ્તુ નાખી દેવાથી છોડ

કાગડા અને કોયલ

વધુ જુઓ..

નવીનતમ

મનોજ કુમાર પંચતત્વમાં વિલીન, પુત્ર કુણાલે આપી મુખાગ્નિ, રાજકીય સમ્માન સાથે આપી વિદાય

CID માં ACP પ્રદ્યુમનની થશે મોત ? બીજી સીજનમાં જોવા મળશે મોટું ટ્વીસ્ટ, જાણો શું છે હકીકત

હંસિકા મોટવાણીએ હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો, ભાભીના આરોપો ખોટા ગણાવ્યા

Bahuchar mataji mandir- અષ્ટમીના દિવસે લોકો સુરતના બહુચર માતાના મંદિરે દર્શન માટે જાય છે, તેને સંતાન પ્રાપ્તિ માટે શુભ માનવામાં આવે છે.

શશિ કપૂર - ધર્મેન્દ્ર લાલચી છે.. મનોજ કુમારનો જ્યારે ફુટ્યો ગુસ્સો, બંને એક્ટરને માર્યો હતો ટોણો

આગળનો લેખ
Show comments