Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં ગરબાના કાર્યક્રમ બાદ એક જ પરિવારના 175 લોકોને આંખમાં ઈન્ફેક્શન થયું

Rajkot garba programme
Webdunia
મંગળવાર, 12 નવેમ્બર 2019 (12:42 IST)
રાજકોટ શહેરના રૈયાધાર વિસ્તારમાં એક પરિવારમાં દીકરાની સગાઇ પૂર્વે દાંડીયારાસનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં આવેલા તમામ મહેમાનોને આંખમાં ઈન્ફેક્શન લાગ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તમામ લોકોની સારવાર કરવામાં આવી હતી. દીકરાની દાંડીયારાસમાં આવેલી છોકરાની વાગ્દત્તાને પણ આંખમાં ઇન્ફેક્શન થયું છે. મળતી માહિતી પ્રમાણે આ પરિવારના સભ્યો તેમજ મહેમાનોને આંખમાં ઇન્ફેક્શન બાદ તમામ લોકોને શહેરની સિવિલ હોસ્પિટલમાં ખાતે આવેલી આંખની હોસ્પિટલમાં વહેલી સવારે સારવાર કરાવવાની ફરજ પડી હતી. પરિવારના તમામ સભ્યોની આંખમાં બળતરા તેમજ લાલાશ જોવા મળી હતી. મીડિયા સાથેની વાતચીતમાં આંખની હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે, પરિવારના 175 લોકોને વહેલી સવારના પાંચ વાગ્યાથી લઈને સવારના નવ વાગ્યા સુધીમાં સારવાર આપવામાં આવી છે. દર્દીઓની આંખ પાણીથી સાફ કરાવીને આંખનાં ટીપાં નાખવામાં આવ્યા હતા.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

મીઠું નાખતા જ ઝેર બની જાય છે આ 5 વસ્તુઓ, ભૂલથી પણ ન ખાશો નહીંતર સહન કરવું પડશે નુકસાન

યૂરિક એસિડ વધે તો કયા તેલમાં બનાવવી જોઈએ રસોઈ ? જાણો કુકિંગ માટે બેસ્ટ Oil

કુટ્ટી લોટ કાજુ દહી કબાબ રેસીપી

શિંગોડા કોકોનટ બરફી

ટૂંકી બોધકથા- ચિંતા ચિતા સમાન છે

વધુ જુઓ..

નવીનતમ

Manoj Kumar Death: 'ભારત કી બાત સુનાતા હું કહેનારા મનોજ કુમાર નું નિધન, 87 વર્ષે લીધા અંતિમ શ્વાસ

Kesari 2- બહાદુરીનો ભગવો ફરી લહેરાશે, જુઓ 'કેસરી 2'માં બહાદુરી અને બલિદાનની અમર ગાથા!

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

આગળનો લેખ
Show comments