Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં કોરોનાનો હાહાકાર, 33 દર્દીઓના મોત

Webdunia
શુક્રવાર, 18 સપ્ટેમ્બર 2020 (13:50 IST)
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કુલ 1379 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે ત્યારે રાજકોટમાં કોરોનાનો કેર યથાવત છે ત્યારે વધુ 33 દર્દીઓના મોત થયા છે. જેમા રાજકોટ શહેરના 29, જિલ્લાના બે અને અન્ય જિલ્લાના બે દર્દીઓનો સમાવેશ થાય છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચના PI વી.કે.ગઢવીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રાજકોટમાં પ્રથમ સનિયર ડોક્ટર બી.ડઢાણીયાનું કોરોનામાં મોત નીપજ્યું છે. આથી રાજકોટના તબીબ આલમમાં શોકની લાગણી જોવા મળી રહી છે. 
 
છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાની સારવાર લઇ રહેલા 98 દર્દીઓના મોત થયા છે જેમાં 80 દર્દી રાજકોટ શહેરના છે અને ગત 15 દિવસમાં 1600 નવા કેસો નોંધાયા છે, અને આ સ્થિતિ છતાં જિલ્લા વહીવટી તંત્ર, મહાપાલિકા અને સરકારના ઉચ્ચ અધિકારીઓ કોરોનાની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો કરી રહ્યા છે. રાજકોટની હોસ્પિટલમાં કોરોનાના દર કલાકે એક કે એકથી વધુ દર્દીના થતા મૃત્યુ ચિંતાનો વિષય બન્યો છે.
 
મોટાભાગના મૃત્યુ ડાયાબીટીસ, બી.પી. જેવી કોમોર્બીડ દર્દીઓના થતા હોય છે. આ પહેલા મુખ્યમંત્રીએ પણ કો મોર્બીડ દર્દીના મૃત્યુ કોરોનાથી મૃત્યુ થયાનું ગણાતું નથી પરંતુ, આ દર્દીના કોરોના પોઝીટીવ રિપોર્ટ આવેલા હોય છે અને ચેપ અન્યને ન પ્રસરે  તે માટે તેની અંતિમક્રિયા ચૂસ્ત કોરોના પ્રોટોકોલ મૂજબ જ કરાય છે. 
 
અત્રે ઉલ્લેખનીય છે કે  રાજકોટમાં કોરોનાના કુલ કેસનો આંકડો 4830એ પહોંચ્યો છે જે પૈકી 113 લોકોની સારવાર ચાલી રહી છે. ગુરુવારે 202 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે, જ્યારે કોરોનાને કારણે એક પણ દર્દીનું મોત નહીં થયાનો દાવો મનપા દ્વારા કરવામાં આવ્યો છે. મહાપાલિકા હવે એવા દર્દીનું મોત જ જાહેર કરે છે. જે માત્રને માત્ર કોરોનાથી જ મોતને ભેટ્યા હોય, જ્યારે જિલ્લામાં 24 કલાક દરમિયાન વધુ 46 કેસ સાથે 2367 કેસ નોંધાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે જ જિલ્લામાં કુલ કેસનો આંકડો 2367એ પહોંચ્યો છે.

સંબંધિત સમાચાર

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments