Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજયમાં સરેરાશ ૬૨.૯૧ ટકાથી વધુ વરસાદને લીધે ૩૭ જળાશયો ૫૦ ટકા સુધી : ૧૦ જળાશયો છલકાયા

Webdunia
બુધવાર, 7 ઑગસ્ટ 2019 (14:23 IST)
ગાંધીનગર: ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે તા. ૭ ઓગસ્ટ-૨૦૧૯ સવારે ૮.૦૦ કલાકની સ્થિતિએ સરેરાશ ૬૨.૯૧ ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ ૨૦૪ જળાશયોમાંથી ૩૭ જળાશયો ૨૫ થી ૫૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૦ જળાશયો છલકાયા છે. ૮ જળાશયો ૭૦ થી ૧૦૦ ટકા તેમજ ૧૮ જળાશયો ૫૦ થી ૭૦ ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના ૬૭.૮૯ ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૯૦.૨૦ ટકા વરસાદ થયો છે.  

રાજ્યમાં હાલમાં ૧,૦૦૦ ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં ૪૮,૬૯૯, ઉકાઇમાં ૭૧,૭૧૧, દમણગંગામાં ૩૮,૨૧૦, કડાણામાં ૭,૭૭૦, કરજણમાં ૭,૦૨૯, ઝૂજમાં ૧,૨૪૩, વેર-૨માં ૧,૧૯૪, વાણાકબોરીમાં ૧,૧૦૦ અને કેલિયામાં ૧,૦૩૭ ક્યુસેકનો સમાવેશ થાય છે. 

ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૧૬.૪૮ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૫૩.૪૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૧.૯૮ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૧૮.૫૮ ટકા અને સૌરાષ્ટ્રના ૧૩૯ જળાશયોમાં ૨૦.૨૮ એમ રાજયમાં કુલ-૨૦૪ જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો ૪૨.૦૬ ટકા એટલે ૨,૩૪,૧૪૩.૩૯ મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments