Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં 4 દિવસ વરસાદની આાગહી,દરિયાકાંઠે એલર્ટ જાહેર

Webdunia
ગુરુવાર, 27 જૂન 2024 (12:24 IST)
ગુજરાત રાજ્યમાં પાંચ સાર્વત્રિક વરસાદ રહેશે. જેમાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે મધ્ય ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે વરસાદ રહેશે. તેમજ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

28 જુન સુરત તથા નવસારી, વલસાડ, તાપી, દમણ તથા દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ 29 જૂને ભરૂચ, સુરત, નવસારી તથા વલસાડ અને તાપી તથા દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી છે. 30 જૂને નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.
 

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, આજે ગુરૂવારે (27-06-24)પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરામાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ સાથે અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. આખા રાજ્યમાં ગાજવીજની ચેતવણી આપવામાં આવી છે.બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, વડોદરા તથા છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, રાજકોટ તથા જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ તથા કચ્છ અને દીવમાં વરસાદની આગાહી કરાઇ છે. આજે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. તેમાં દરિયાઈ વિસ્તારમાં 35થી 55 કિલોમીટર પ્રતિ કલાક પવન ફૂંકાવાની શક્યતા છે. તેમજ 27 જૂન ભારે વરસાદની આગાહી છે. તેમજ બનાસકાંઠા નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી તથા જામનગર, પોરબંદર, જુનાગઢ તથા અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી છે.અમદાવાદ હવામાન વિભાગના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે માછીમારો માટે ચેતવણી આપતા જણાવ્યુ છે કે, આજે ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવો. દરિયાકાંઠે 35થી 45 પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાશે. અહીં મહત્તમ પવન 55 કિમીની ઝડપ સુધીનો ફૂંકાઇ શકે છે.હવામાન ખાતાએ ગુજરાતમાં ચોમાસા અંગે જણાવ્યુ છે કે, સેન્ટ્રલ ગુજરાત પર સર્ક્યુલેશ સિસ્ટમ બનેલી છે તેના કારણે આજે ભારે વરસાદ થવાનો છે. ચોમાસું મુંદ્રાથી મહેસાણા સુધી પહોંચ્યુ છે. ત્રણ ચાર દિવસોમાં ચોમાસું આખા ગુજરાતને આવરી લેશે તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

બદલાતી ઋતુમાં તમને UTI ન થાય તે માટે કરો આ 5 કામ

સરસવના તેલથી પગના તળિયાની કરો માલીશ, અનેક બીમારીઓ થશે દૂર

ચેતજો- દૂધની ચા વધારે ઉકાળવાથી થઈ શકે છે આ ગંભીર નુકશાન

'જ અક્ષર પરથી છોકરાઓના નામ'

World Vitiligo Day 2024: શા માટે હોય છે સફેદ ડાઘ, જાણો શરૂઆતી લક્ષણ અને સારવાર

વધુ જુઓ..

નવીનતમ

Marriage પછી સોનાક્ષી-ઝહીરનું પહેલું ફેમિલી ડિનર, સાસુ અને સસરા નવી પરણેલી વહુને ભેટી પડ્યા

RRR ડાયરેક્ટર રાજામૌલી, શબાના આઝમી સહિત 11 ભારતીયોને ઓક્સર અકાદમીમાંથી મળ્યુ ઈનવાઈટ,જુઓ આખુ લિસ્ટ

HBD અર્જુન કપૂર - ફિલ્મોમાં આવતા પહેલા આવો દેખાતો હતો અર્જુન કપૂર

Travel Tips For Puri Rath Yatra 2024: જગન્નાથ રથયાત્રામાં પરિવારની સાથે થઈ રહ્યા છો શામેલ તો આ 5 વાતનુ રાખો ધ્યાન

વરસાદી મીમ્સ

આગળનો લેખ
Show comments