Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધી જાહેર કરે કે ગઠબંધનના નેતા કોણ? સીએમ રુપાણી

Webdunia
ગુરુવાર, 14 ફેબ્રુઆરી 2019 (17:34 IST)
લોકસભાની ચૂંટણીનું રણશીંગુ વલસાડનાં ધરમપૂરથી ફૂંકવા આવી રહ્યાં છે. ત્યારે સીએમ વિજય રૂપાણીએ રાહુલ ગાંધી પર પ્રહાર કરતાં કહ્યું છે કે આવનારી ચૂંટણીમાં તેઓ હાર ભાળી ગયા છે. પૂર્ણ બહુમતમાં કોંગ્રેસની સ્થિતિ સારી નથી. 'આવનારી ચૂંટણી પહેલા જ વિરોધ પક્ષ હાર ભાળી ગયું છે એટલે મહાગઠબંધન કર્યું છે. તેઓ બધા મોદી અને ભાજપથી ગભરાઇ ગયા છે. પૂર્ણ બહુમતની સરકારમાં કોંગ્રેસની સ્થિતિ સારી નથી. કોંગ્રેસ ફસાયેલી છે. મિલાવટ તો લોકોને પસંદ નથી, આમ પણ આપણા શરીર માટે પણ મિલાવટ સારી નથી તો આપણો દેશ માટે મિલાવટ નુકશાનકર્તા જ છે. રાહુલ ગાંધી આવે ત્યારે તેમને કહેજો કે ભારતની જનતાને જાહેર કરે કે આ ગઠબંધનની સરકારમાં વડાપ્રધાન કોણ, ઇમાનદારી હોય તો આની જાહેરાત કરે. અમે તો કીધું છે ફીર સે મોદી સરકાર પરંતુ તેમનાથી તેવું થઇ શકે તેમ જ નથી. કારણ કે આવી જાહેરાત કરે તો ચૂંટણી પહેલા જ ગઠબંધન તૂટી જાય તેમ છે. તો ચૂંટણી પછી કઇ રીતે ટકશે?' મહત્વનું છે કે ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીએ આ તમામ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વખતે કોંગ્રેસને આશા છે કે, ભાજપનાં આ વિજયરથને રોકશે અને કેટલીક સીટો પોતે જીતી અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનતા રોકશે. જો કે, આ વાત તો સમય જ બતાવશે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments