Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ કોરોના દર્દીઓને ઈદ ફળી, ચાર દર્દીઓ પવિત્ર ઈદના દિવસે જ થયા કોરોના મુક્ત !

કોરોના દર્દીઓ
Webdunia
મંગળવાર, 26 મે 2020 (12:07 IST)
જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતેથી સોમવારે મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર ઈદના રોજ 4  દર્દીઓ સ્વસ્થ થતા તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આ દર્દીઓ વિસાવદર તાલુકાનાં પ્રેમપરા અને બરડિયા ગામના હતા. ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમા 15 વર્ષિય દિવ્યમ વઘાસીયા તા.16 મે ના રોજ 40 વર્ષના વિલાશબેન 38 વર્ષના કિશોરભાઈ વઘાસીયા અને બરડીયાના 48 વર્ષના મુકેશભાઈ વઘાસીયા તા.17 મે ના રોજ કોરોના પોઝીટીવ થતા સિવિલ હોસ્પિટલમાં જૂનાગઢ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા.
 
આ ચાર કોરોના પોઝીટીવ દર્દીઓ ડિસ્ચાર્જ થતા જૂનાગઢ જિલ્લામાં કુલ 25 કેસ પૈકી કુલ 8 દર્દીઓ સ્વસ્થ થય ઘરે પરત ફર્યા હતા. આ દર્દીઓ હવે સાત દિવસ હોમ કોરન્ટાઇન રહેશે. સ્વસ્થ થયેલા આ દર્દીઓ એ હોસ્પિટલમાં મળેલી સારવાર સુવિધા અને ડોકટરો તથા પેરામેડિકલ સ્ટાફ દ્વારા લેવાતી કાળજી પ્રત્યે સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. ઉલ્લેખનીય છે કે, સમયસર સારવાર અને આરોગ્ય વિષયક ઘનિષ્ઠ કામગીરીથી જૂનાગઢ જિલ્લામાં હજુ સુધી કોરોના વાયરસ સંદર્ભે એકપણ મૃત્યુનો કેસ નોંધાયો નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Modern Baby Girl Names- છોકરીઓના Modern નામ

Rice Facial: લગ્ન પહેલા દુલ્હનને આ 5 સ્ટેપની મદદથી ચોખાનું ફેશિયલ કરાવવું જોઈએ, અદ્ભુત ચમક આપશે

સ્વચ્છતાનું મહત્વ

Gujarati wedding thali- ગુજરાતી લગ્નની થાળીમાં આ વાનગીઓનો સમાવેશ કરવો જ જોઈએ

Smart TV Cleaning Mistakes: સ્માર્ટ ટીવી સ્ક્રીન સાફ કરતી વખતે ન કરો આ 5 ભૂલો, નહીં તો બગડી શકે છે પિક્ચર ક્વોલિટી

વધુ જુઓ..

નવીનતમ

ED Summons to Mahesh Babu: સાઉથ સુપરસ્ટાર મુશ્કેલીમાં મુકાયો

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼

ભાભીજી ફેમ અભિનેત્રી પર દુઃખનો પહાડ઼, છૂટાછેડાના 2 મહિના બાદ જ શુભાંગી અત્રેના પૂર્વ પતિનું નિધન

ગ્રે ડિવોર્સના સમાચાર વચ્ચે એશ્વર્યા-અભિષેકે એક સાથે સેલિબ્રેટ કરી એનિવર્સરી જુઓ ફોટા

Gujarati jokes - નવરત્ન તેલ

આગળનો લેખ
Show comments