Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોને ઈમિગ્રેશનની લાઈનમાંથી છૂટકારો મળશે, 4 કાઉન્ટર શરૂ કરાયા

Webdunia
બુધવાર, 25 ઑક્ટોબર 2023 (17:59 IST)
અમદાવાદથી વિદેશ જતાં મુસાફરોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે એરપોર્ટ ઓર્થોરિટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે મુસાફરોને ઈમિગ્રેશનની લાઈનમાં ઉભું રહેવાથી રાહત મળશે. અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર નવા ઈમિગ્રેશન કાઉન્ટર શરૂ કરવામાં આવ્યા છે.

જેના લીધે મુસાફરોને લાંબી કતારોમાં ઊભા રહીને સમયની વેડફાશે નહીં. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 4 નવા ઇમિગ્રેશન કાઉન્ટરો શરૂ કરાતા મુસાફરોને લાઈનમાં ઉભા રહેવાની ઝંઝટમાંથી રાહત મળશે અને તેમના સમયની બચત થશે. આ સાથે વ્હીલચેર દ્વારા મુસાફરી કરતાં પેસેન્જરોને સામાન્ય લોકોની લાઈનમાં ઉભુ રહેવું પડે તે માટે અલગથી ઇમિગ્રેશન કાઉન્ટરની સુવિધા શરૂ કરાતાં તેઓને કોઇ પણ પ્રકારની અગવડતાનો સામનો કરવો પડશે નહીં.

એરપોર્ટ પરથી દરરોજ 17 જેટલી ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ઉડાન ભરે છે. ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 17 જેટલી ઈન્ટરનેશનલ એરલાઇન્સ મારફતે વિદેશના અલગ અલગ 14 રૂટ પર 2500થી વધારે પૅસેન્જરો મુસાફરી છે. મહત્વનું છે કે, અત્યાર સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિપાર્ચરમાં ઈમિગ્રેશનના 6 કાઉન્ટર હતા. ત્યારે ઘણી વખત મોડી રાત્રે એકસાથે ઇન્ટરનેશનલ ફ્લાઇટના ડિપાર્ચરથી પેસેન્જરોને લાંબી લાઇનમાં ઊભું રહેવું પડતું. આ જ કારણોસર એરપોર્ટ પર હવે નવા 4 ઇમિગ્રેશન કાઉન્ટરો શરૂ કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

Bomb Threats: 85 ફ્લાઈટને બોમ્બથી ઉડાવવાની તાજી ધમકી, બોમ્બ ઉડાવવાની તાજી ધમકી, એયર ઈંડિયા, ઈંડિગો, વિસ્તારા, અકાસા પ્રભાવિત

Collector Salary:પાવર અને રૂતબા વાળુ હોય છે કલેક્ટરનુ પદ, જાણો કેટલી હોય છે સેલેરી અને શુ શુ મળે છે સુવિદ્યાઓ ?

મુસ્લિમ સગીરે ભગવાન રામ, માતા સીતા પર અભદ્ર ટિપ્પણી કરી

આગળનો લેખ
Show comments