Webdunia - Bharat's app for daily news and videos

Install App

નવનિયુકત નેતા પરેશ ધાનાણીની જાહેરાત: ગ્રામીણ સંસ્કૃતિને ફરી જીવંત કરાશે

Webdunia
મંગળવાર, 9 જાન્યુઆરી 2018 (14:39 IST)
ગુજરાતની ધારાસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોફટ હિન્દુત્વ અપનાવીને ભાજપને તેના જ હથીયારથી મહાત કરવાની જે વ્યુહ રચના અપનાવી તે પ્રાથમીક રીતે સફળ રહ્યા બાદ હવે ભાજપ પાસેથી રામ મંદિર મુદો જ છીનવી લેવા ચાલાકી પુર્વકની વ્યુહ રચના તૈયાર કરી છે. જેનાથી હવે

ભાજપે આગામી સમયમાં વધુ ચિંતા કરવી પડશે. કોંગ્રેસ ટ્રીપલ તલ્લાક્ના મુદાને ટેકો આપવાની સાથે જ મુસ્લીમ શૌહરને જેલસજા સામે જે વિરોધ કર્યો તેનાથી મુસ્લીમ સમુદાય અને ખાસ કરીને મુસ્લીમ અગ્રણીઓમાં સારો સંદેશ ગયો છે તો હવે ગુજરાત કોંગ્રેસનાં નવા વરાયેલા વિપક્ષના નેતા  પરેશ ધાનાણીએ એક માસ્ટર સ્ટ્રોકમાં દરેક નાના ગામમાં શ્રીરામ સુર્યોદય સંધ્યા આરતી કમીટી બનાવવાની જાહેરાત કરી છે 

પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે દરેક ગામના ચોરામાં રામમંદિર એ આપણી સંસ્કૃતિ છે. અમો સૌરાષ્ટ્રથી પ્રારંભ કરી રહ્યા છીએ જેમાં 15 દિવસ આ મંદિરની રોજ બે વખત આરતી કરે તેને અમો પુજા આરતી સામગ્રી આપશું. આ રામ મંદિરનું ર્જીણોધ્ધાર કરીને ગામના પાદરે ગોધુલી સમયે ઝાલર વાગે અને ગ્રામ્ય સંસ્કૃતિ જીવંત થાય તે અમારી નેમ છે. આજ કાલનાં સમયમાં આ રામ મંદિરની કાળજી લેવાતી નથી. આથી જે વ્યકિત આ રામ મંદિરનું એક સપ્તાહ સુધી દૈનિક બે આરતી સાથે કાળજી લેવા આગળ આવે તેને અમો આરતી-પુજા સામગ્રી આપશું જયાં શંખ-ઝાલર આરતી અને ડ્રમ તથા મંદિરને સુશોભનની સામગ્રી હશે અને ગામોમાં એક મંદીર કમીટી આ મંદિરની સારસંભાળ લેશે શ્રી ધાનાણીએ કહ્યું કે અમારા ગામમાં જ રામમંદિર છે પણ ત્યાં જનારાઓની સંખ્યા ઘટી છે.કોંગ્રેસ પક્ષે સોમનાથમાંથી શંખ જસદણ પાસેથી ડ્રમ, અને ભાવનગર નજીકથી આરતી સામગ્રી મેળવી છે અને તે કમીટીને સોંપી છે.ધાનાણી કહે છે કે અમારી આ સામાજીક ઝુંબેશ છે ગામનાં યુવાનો ગામ સાથે જોડાય તે અમારી લાગણી છે. કોંગ્રેસ ચૂંટણીમાં જે રીતે રાહુલ ગાંધીના મંદીર દર્શનથી તે ફકત મુસ્લીમ તરફી છે તેવી છાપ સારી રીતે ભુસી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments