Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતને ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવા માટે લડતો રહીશ: પરેશ ધાનાણી

Webdunia
સોમવાર, 8 જાન્યુઆરી 2018 (12:32 IST)
ગુજરાત વિધાનસભના વિપક્ષના નેતા તરીકે કૉંગ્રેસ દ્વારા પાટીદાર યુવા નેતા પરેશ ધાનાણીની પસંદગી કરવામાં આવી હતી. દિલ્હીથી પરત ફર્યા બાદ સુરતના ઍરપોર્ટ પર પરેશ ધાનાણીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ધાનાણીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં જે રીતે ભાજપે સરકાર બનાવી તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. તમામને સાથે રાખીને ગુજરાતની સમસ્યાને વાચા આપીશ. ભાજપે ધન અને બળથી સરકાર બનાવી છે. ગુજરાતને ભ્રષ્ટાચારથી મુક્તિ અપાવવા માટે લડતો રહીશ.

અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીને કૉંગ્રેસ પક્ષ દ્વારા ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા બાદ ધાનાણી દિલ્હીથી સુરત પહોંચ્યા હતા અને સુરત ઍરપોર્ટ ઉપર કૉંગ્રેસ કાર્યકરો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં હોશ અને જોશના સમન્વયથી વિધાનસભામાં પ્રશ્ર્નો ઉઠાવીશ. તમામ સમર્થકોનો આભાર માનું છું. આ પ્રસંગે ધાનાણીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે ધન અને બળથી ભાજપે સરકાર બનાવી છે એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ છે. હું મારા વ્યક્તિગત કામથી સુરત આવ્યો હતો. ધાનાણી અમરેલી જવા રવાના થયા હતા. દરમિયાન સુરતથી વતન અમરેલી પહોંચેલા ધાનાણીનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments