Webdunia - Bharat's app for daily news and videos

Install App

પેપર લીક કૌભાંડમાં ઝડપાયેલા 2 આરોપીઓના મોબાઇલમાંથી અનેક ભાજપના નેતાઓના નામ નીકળ્યા

Webdunia
મંગળવાર, 4 ડિસેમ્બર 2018 (12:21 IST)
લોક રક્ષક દળ ની ભરતી માટેની લેવાયેલી પરીક્ષા પહેલા તેનું પેપર ફૂટી જતા આ પરીક્ષા રદ કરવી પડી છે. પેપર લીકેજ કૌભાંડમાં ભાજપના જ બે આગેવાનો પકડાઈ ગયા છે. પોલીસે આ બંને આરોપીઓ મુકેશ ચૌધરી અને મનોજ પટેલ મોબાઇલ ફોનની કોલ ડિટેલ્સ ચકાસી રહી છે. ઉત્તર ગુજરાત ભાજપના અગ્રણી તરીકે આ બંને નેતાઓને ભાજપના ટોચના નેતાઓ સાથે ઘરોબો હતો. આ બંને જણાએ પોતાના મોબાઈલ ફોનમાંથી અનેક વખત ભાજપના ટોચના નેતાઓ સાથે વાતચીત કરી હતી. હવે પોલીસ એ બાબતની તપાસ કરી રહી છે કે આ બંને આરોપીઓએ પેપર લીકના મુદ્દે કોઈ વાતચીત કરી હતી કે વાતચીત રૂટિન હતી.  
સૂત્રો જણાવે છે કે પોલીસની તપાસ દરમિયાન અને ભાજપના તેમજ કોંગ્રેસના આગેવાનોના નામ આવશે. દરમિયાનમાં પોલીસે હાથેથી લખેલી આન્સરશીટનો કબજો લઈ તેની ચકાસણી માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલી અપાઈ છે. પોલીસ સમગ્ર કૌભાંડના મૂળ સુધી પહોંચીને વૈજ્ઞાનિક પુરાવા ભેગા કરવા માગે છે જેથી કોર્ટમાં કોઈ આરોપી બચી શકે નહીં. સુત્રો જણાવે છે કે પોલીસ ઉપર જો કોઈ દબાણ નહીં થાય તો આગામી સમયમાં ભાજપના કેટલાક મોટા માથાઓની પણ ધરપકડ થઈ શકે છે. જેમાં ખાસ કરીને બનાસકાંઠા ભાજપના એક મોટા નેતાની પણ સંડોવણી હોવાની પૂરી શક્યતા છે. 
પોલીસે ભાગેડુને પકડવા માટે જુદી જુદી ટીમો બનાવી વિવિધ વિસ્તારોમાં મોકલી આપી છે. મોબાઈલ સર્વેલન્સ સહિતની ટેકનોલોજીનો ઉપયોગ કરીને પોલીસ ભાગેડુ યશપાલને પકડી લેવા માંગે છે. યશપાલ હાથમાં આવ્યા બાદ જ તમામ સાચી હકીકતોનો પર્દાફાશ થશે. દરમિયાન પોલીસે જે આરોપીઓ પકડાયા છે તેમને ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં લઈ જઈ તેમનું મેડિકલ ચેકિંગ કર્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments