Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાજપના સ્નેહ ભોજનનો ઇંડા ફેંકી કર્યો વિરોધ, કોરોનામાં ગરબાની પરવાનગી નહી તો દાવત કેમ?

ભાજપ  સ્નેહ ભોજન
Webdunia
સોમવાર, 19 ઑક્ટોબર 2020 (09:03 IST)
યોગી ચોકમાં રવિવારે રાત્રે ભાજપનો સ્નેહ ભોજ વિવાદમાં આવી ગયો છે. હંગામો ત્યારે થયો જ્યારે કાર્યક્રમ દરમિયાન ઇંડા ફેંકવામાં આવ્યા. આ વિરોધની જવાબદારી પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે ઘારી બસગરા ખાંભા વિધાનસભા ક્ષેત્રમાં જેવી કાપડિયા કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાયા ત્યારે ભાજપે વિજય વિશ્વાસ સંમેલન આયોજિત કર્યું હતું. તેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, મંત્રી હકૂબા જાડેજા, કુમાર કાનાણી, મેયર જગદેશ પટેલ, વીડી ઝાલાવાડિયા, દર્શના જરદોષ, કાંતિ બલર, ઘોઘારી સહિત ઘણા નેતા હાજર હતા. 
 
પાસના કન્વીનર ધાર્મિક માલવીયનું કહેવું છે કે કોરોનાકાળમાં ગરબા અટકાવનાર સરકારના નેતા પોતાના રાજકીય કાર્યક્રમોમાં ભીડ એકઠી કરી રહ્યા છે. માલવીયએ સ્વિકાર કર્યો કે આ વિરોધમાં રાત્રે 8 વાગે કાર્યકર્તાઓએ ઇંડા ફેંક્યા. ઇંડા સીઆર પાટીલ અને જેવી કાકડિયાના પગ પાસે પડ્યા હતા. પક્ષપલટુને હરાવો એવી બુમ પાડી યુવાનો ભાગી ગયા હતા.
 
ભાજપના કાર્યકરો ઇંડુ ફેકનારને પકડવા દોડયા પરંતુ તે હાથ લાગ્યા નહોતા. આ ઘટના અંગે ધારીના ઉમેદવાર જે.વી.કાકડીયાએ જણાવ્યું હતું કે, ગામડાઓમાંથી મને મોટુ સમર્થન મળી રહ્યું છે. મારા મતદારોએ મને આજે વિજય વિશ્વાસ સંમેલન માટે બોલાવ્યો હતો. સંમેલનના અંતમાં ઇંડુ ફેંકવાનું કૃત્ય લોકો સાખી લેશે નહી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Instant Farali dosa recipe- ફરાળી ઢોસા

આલુ દૂધી પરોઠા

વ્રત સ્પેશિયલ - વ્રત માટે ફરાળી ચેવડો રેસીપી

બાળ પ્રેરક વાર્તા- મારું ઘર સૌથી શ્રેષ્ટ છે

Skin Care Tips- કાચા દૂધમાં આ વસ્તુઓ મિક્સ કરીને લગાવો, તમારો ચહેરો સાફ દેખાશે.

વધુ જુઓ..

નવીનતમ

Ujjain - જો તમે ઉજ્જૈન જઈ રહ્યા છો તો આ પ્રખ્યાત દેવી મંદિરોની મુલાકાત લેવાનું ભૂલશો નહીં, ચૈત્ર નવરાત્રિમાં દરેક મનોકામના પૂર્ણ થશે.

Ajay Devgan Birthday- અજય દેવગન વિશે જાણો ખાસ વાતો

Jokes- એપ્રિલ ફૂલ જોક્સ

ગુજરાતી જોક્સ - ઘઉં વેચવા ગયો

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

આગળનો લેખ
Show comments