Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બદલાઈ ગાઈડલાઈન, ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ

સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે બદલાઈ ગાઈડલાઈન,  ડ્રોન ઉડાવવા પર પ્રતિબંધ
, શનિવાર, 17 ઑક્ટોબર 2020 (14:15 IST)
નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ.કે.વ્યાસે તેમને  મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ફોજદારી કાર્યરીતિ અધિનિયમ, ૧૯૭૩(૧૯૭૪ નો બીજો અધિનિયમ)ની કલમ-૧૪૪  અન્વયે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરના આસપાસના વિસ્તાર (૧) નર્મદા નદીના ડાબા કાંઠે સરદાર સરોવર ડેમથી એકતા નર્સરી(ગોરા) સુધી અને (૨) નર્મદા નદીના જમણા કાંઠે સરદાર સરોવર ડેમથી શ્રેષ્ઠ ભારત ભવન, કેવડીયા સુધીના વિસ્તારને “”No Drone Zone” જાહેર કરાયેલ છે. 
 
સદર હુ વિસ્તારમાં રીમોટ કંન્ટ્રોલથી ચલાવવામાં આવતાં ડ્રોન (DRONE), ચલાવવાની/ઓપરેટ કરવાની મનાઇ ફરમાવી છે. આ જાહેરનામાની અમલવારી  તા.૧૬/૧૦/૨૦૨૦ ના ૦૦.૦૦ કલાકથી તા.૧૪/૧૨/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધીની રહેશે.
 
 
અપવાદરૂપ કિસ્સામાં પોલીસ વિભાગ, સુરક્ષાબળો અને પોલીસ વિભાગ તરફથી મળેલ પરવાનગીના સંશાધનોને આ જાહેરનામામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ – ૧૮૮ તથા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ -૨૦૦૫ ની જોગવાઈઓ મુજબ શિક્ષાને પાત્ર થશે. 
 
આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરૂધ્ધ ફરિયાદ દાખલ કરવા માટે નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકથી પોલીસ સબ ઈન્સ્પેક્ટર સુધીનો હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવેલ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

અરબ સાગરમાં પ્રેશર સક્રિય થતાં વરસાદની સંભાવના, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના