Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખેડૂતોના વિરોધના ભયથી ગુજરાતે કેન્દ્ર પાસેથી આયાતી ડુંગળી ન ખરીદી

Webdunia
મંગળવાર, 21 જાન્યુઆરી 2020 (17:20 IST)
ગુજરાત સહિત દેશભરમાં ડુંગળીના ભાવ આસમાને આંબી ગયા હતા અને લોકો માટે ગરીબીની કસ્તુરી ગણાતી આ વેજીટેબલ ખાવાનું લગભગ અશકય બની ગયુ હતું. તે સમયે કેન્દ્ર સરકારે આયાત કરેલી લાખો ટન ડુંગળીઓ ગોડાઉનમાં સળી ગઈ છે અને ગુજરાતે પણ આ આયાતી ડુંગળી કેન્દ્ર પાસેથી ખરીદવા ઈન્કાર કર્યો છે. રાજય સરકારે આ અંગે એવુ કેન્દ્રને જણાવ્યું છે કે, આયાતી ડુંગળીથી સ્થાનિક ડુંગળી ઉગાડતા ખેડુતોને મોટુ નુકશાન થશે. ઉપરાંત આયાતી ડુંગળી અને સ્થાનિક ડુંગળીનો સ્વાદ પણ અલગ છે. તેનાથી લોકો તે પસંદ કરશે કે કેમ તે પણ પ્રશ્ન છે. રાજયના એક ટોચના અધિકારીએ એવું જણાવ્યું કે, રાજય આયાતી ડુંગળી નહી ખરીદે તે નિર્ણય સંબંધીત પક્ષકારો તથા રાજયના સીનીયર અધિકારીઓ પાસેથી ફીડબેક મેળવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લીધો હતો અને આ અંગે કેન્દ્રને લેખીતમાં જાણ કરી દેવાઈ છે. ગુજરાત ડુંગળી ઉત્પાદક રાજયમાં મોખરે છે અને આયાતી ડુંગળીથી રાજયમાં ડુંગળીના ભાવ નીચા જાય તો ખેડુતોને નુકશાન થઈ શકે છે અને તેના સ્વાદનો પણ પ્રશ્ન છે. ઉપરાંત રાજયમાં ડુંગળીના ભાવ હવે નીચા આવી ગયા હોવાનો દાવો પણ સરકારે કર્યો છે. હાલ રાજયમાં રૂા.60થી70 પ્રતિકિલોના ભાવે ડુંગળી મળે છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments