Webdunia - Bharat's app for daily news and videos

Install App

વડોદરામાં ભરબપોરે ફાણીફૂટ ફાયરિંગ: 3થી વધુ લોકોને ઇજા

Webdunia
મંગળવાર, 20 ઑક્ટોબર 2020 (09:26 IST)
શહેરમાં વધતા જતા લુખ્ખાતત્વોને ડામવા માટે તંત્ર દ્વારા સતત કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ગુજરાત સરકાર નવા કાયદોને અમલમાં મુકી શાંતિ અને સલામતિ સ્થાપવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારે વડોદરાના મુખ્ય પ્રવેશ દ્વારા પાસે ભરબપોરે જૂથ અથડામણની ઘટનામાં ગોળીબાર થયો હોવાનું સામે છે. જેમાં સશસ્ત્ર હુમલા, પથ્થરમારા અને ગોળીબારની ઘટનામાં ત્રણથી વધુ વ્યક્તિઓ ઘાયલ થઇ હતી. 
 
ત્રણ જેટલી કારમાં આવેલા કેટલા તોફાની તત્વોએ આડેધડ ફાણીફૂટ ફાયરિંગ કર્યું હતું. જેને લીધે એક્સપ્રેસ હાઇવેથી મુંબઇ જતાં માર્ગ પર પાંચ કિલોમીટર જેટલો ટ્રાફીક જામ થઇ ગયો હતો. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર દુમાડ ચોકડી પાસે ખાનગી વાહનોમાં મુસાફરોની હેરાફેરી માટે છેલ્લા કેટલાક સમયથી બે જૂથ વચ્ચે લડાઇ ચાલી રહી છે. જેને લઇને વીસથી પચીસ જેટલા લોકો કારમાં દુમડ ચોકડી પાસે આવ્યા હતા. પથ્થરમારો કરીને શસ્ત્રો વડે હુમલા શરૂ કરી દીધો તો કેટલાકે તો આડેધડ ગોળીબાર પણ શરૂ કરી દીધા હતા. જેના પગલે નાસભાગ મચી ગઇ હતી.  
 
હુમલાખોરો દ્વારા ભરવાડ સમાજના કેટલાક યુવાનોને ટારગેટ બનાવવામાં આવ્યા હોવાની વાતો વહેતી થતાં હુમલાખોરોને પાઠ ભણાવવા તેમના સમર્થકોના પણ ટોળા ધસી ગયા હતા. વાતાવરણ અત્યંત તંગ બની ગયુ હોવાની પોલીસને જાણ થતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ પોલીસ કુમક સાથે સ્થળ પર ધસી ગયા હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલીક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે વડોદરા સારવાર માટે ખસેડ્યા હતા. 
 
સૂત્રોના જણાવ્યા અનુસાર સાવલી ખાતે ઈંટોના ભઠ્ઠાના માલિકે મજૂરોને એક લાખ રૂપિયા આપીને વડોદરા મોકલ્યા હતા. જે નાણાં ગાયબ થઇ થતાં તકરાર થઇ હતી, ત્યારબાદ ગાડીમા આવેલા લઘુમતી કોમના શખ્સોએ ભરવાડો ઉપર ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ બાદ ગાડી વડોદરા શહેર તરફ ભાગી ગયા હતા. આ બનાવને પગલે હાઇવે પર લગભગ પાંચ કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઇ ગયો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments