Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vande Bharat Express - અમદાવાદથી વધુ એક વંદે ભારત એક્સપ્રેસ દોડશે, ઉત્તર ગુજરાતના આ જિલ્લાઓને પણ લાભ મળશે

Webdunia
મંગળવાર, 4 જુલાઈ 2023 (16:46 IST)
Ahmedabad News - અમદાવાદને વધુ એક વંદે ભારત હાઈ સ્પિડ રેલવેનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી લોકાર્પણ 7, જુલાઈએ કરશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને વંદે ભારત ટ્રેનનો લાભ મળશે.નવી ટ્રેન અમદાવાદના સાબરમતી રેલવે સ્ટેશનથી ઉપડનારી છે. અમદાવાદ-જોધપુર વંદેભારત ટ્રેન આગામી 7, જુલાઈથી શરુ થનારી છે. વડાપ્રધાન મોદી વર્ચ્યુલી લોકાર્પણ કરનાર છે.

ભારતના અનેક હિસ્સાઓમાં વંદે ભારત ટ્રેનની શરુઆત કરવામાં આવી છે. આવી જ રીતે વધુ એક ટ્રેનની શરુઆત થવા જઈ રહી છે. જેને લઈ અમદાવાદ થી જોધપુર અવર જવર કરતા મુસાફરોને મોટી રાહત સર્જાશે. ગુજરાતને વધુ એક ટ્રેનનો લાભ મળ્યો છે. જેનો લાભ ઉત્તર ગુજરાતને પણ મળશે. અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લાને વંદે ભારત ટ્રેનનો લાભ મળશે.

7 જુલાઈએ અમદાવાદને વધુ એક નવી વંદે ભારત ટ્રેન મળવા જઈ રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા આ અંગેની જાહેરાત થઈ છે કે 7 જુલાઈ એ અમદાવાદ સાબરમતી થી જોધપુર વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ થશે. જે સપ્તાહમાં 6 દિવસ ચાલશે. જે ટ્રેન સાબરમતી જોધપુર વચ્ચે મહેસાણા, પાલનપુર, આબુરોડ, ફાલના અને પાલી સ્ટેશન એમ પાંચ સ્ટેશન પર ઉભી રહેશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં વર્ચ્યુઅલી લોકાર્પણ કરાવશે. જે ટ્રેન સપ્તાહમાં 6 દિવસ ચાલશે. જ્યારે રવિવારે મેઇન્ટનન્સના કારણે ટ્રેન બંધ રહેશે.

સાબરમતી થી જોધપુર વચ્ચે 446 કિમિનું અંતર અન્ય ટ્રેન ને કાપવામાં 8 કલાકમાં લાગે છે જ્યારે વંદે ભારત ટ્રેન 6 કલાકમાં અંતર કાપશે. જે ટ્રેનનો શિડયુલ પણ તૈયાર કરી દેવાયો છે.અમદાવાદ જોધપુર વચ્ચે પહેલી વંદે ભારત ટ્રેન શરૂ થશે. વંદે ભારત ટ્રેન શરૂ થવાને લઈને ઉત્તર ગુજરાત અને રાજસ્થાન તરફ જતી કેટલીક ટ્રેનના સમયમાં 5 થી 15 મિનિટનો ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં બિકાનેર, હિંસોર, ગંગાનગરની કેટલીક ટ્રેન નો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

જમ્મુ કાશ્મીરમાં બે સૈનિક, બે શ્રમિકનાં મૃત્યુ

Cyclone Dana landfall : ઓડિશાના ધામરા-ભીતરકણિકામાં લેન્ડફોલ દરિયાકાંઠે ટકરાયુ 'દાના' વાવાઝોડું, રસ્તાઓ ઉખડી ગયા

દિવાળીના દિવસે આ 5 જીવોનાં દર્શન થવા છે ખૂબ જ શુભ, જો દેખાય તો દેવી લક્ષ્મી વરસાવશે અપાર આશીર્વાદ

Maharashtra Election: કોંગ્રેસે જાહેર કરી ઉમેદવારોની યાદી, જુઓ કોને ક્યાંથી મળી ટિકિટ

લોરેન્સ બિશ્નોઈ કેમ સલમાનની પાછળ પડ્યો છે ? જાણો સમગ્ર સ્ટોરી

આગળનો લેખ
Show comments