Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી વેપારીએ કર્યો આપઘાત

આપઘાત
Webdunia
શનિવાર, 22 જૂન 2019 (14:30 IST)
સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામે રહેતા એક વેપારીએ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને વેપારીએ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. ત્યારે મૃતકની પત્નીએ 21 લોકો સામે ફરિયાદ નોંધાવી છે.
 
પ્રાપ્ત માહિતી અનુસાર, સુરેન્દ્રનગરના અણિન્દ્રા ગામે રહેતા એક વેપારી ફેબ્રિકેશનનું કારખાનું ધરાવે છે અને તેણે કેટલાક લોકો પાસેથી ઉછીના પૈસા લીધા હતા. આ પૈસા અને તેનું વ્યાજ ન ચૂકવી શકવાના કારણે વેપારી પર દબાણ વધતું જતું હતું. ત્યારે વેપારી પાસે વ્યાજખોરો દ્વારા અવારનવાર આકરી ઉઘરાણી કરવામાં આવી હોવાથી વેપારીએ કંટાળીને આપઘાત કરી લીધો હતો.
 
વેપારીએ આપઘાત કરી લેતા પરિવારમાં માતમ છવાયો હતો. ત્યારે આ ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસ દ્વારા પરિવારજનોની પૂછપરછ કરવામાં આવતા મૃતકની પત્નીએ 21 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ત્યારે આ ઘટનાને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

જૂના માટલા આ રીતે સાફ કરવાથી પાણી રહેશે ઠંડુ

Rose Mawa Kulfi Recipe: ઉનાળામાં બનાવો મસ્ત રોઝ કુલ્ફી, અહીં શીખો સ્ટેપ બાય સ્ટેપ રેસીપી

Cancer Symptoms in Body - શરીરમાં દેખાય રહ્યા છે આ ફેરફાર તો સમજી લો કે થઈ ગયુ છે કેન્સર, જાતે કરી શકો છો ચેક

ગુજરાતી શાયરી - સબંધ

ગુજરાતી શાયરી - જિંદગી

વધુ જુઓ..

નવીનતમ

Gujarati jokes - નવરત્ન તેલ

Gujarati jokes - છાપું

'ફિલ્મ જોવી હોય તો જુઓ નહીંતર ભાડમાં જાવ', કેસરી-2 ને લઈને ફેંસ પર કેમ નારાજ થયા આયુષ્યમાન ખુરાનાના ભાઈ ?

Dhanush ની ફિલ્મના સેટ પર લાગી ભીષણ આગ, સળગતી આગનો વીડિયો વાયરલ

Urvashi Rautela Mandir: જે મંદિર પર ઉર્વશી રૌતેલા કરી રહી છે દાવો શુ છે તેનો ઈતિહાસ ?

આગળનો લેખ
Show comments