Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોલીસમાં તાકાત હોય તો ભાજપની રેલીમાં જોડાયેલા હેલ્મેટ વિનાના બાઈક સવારોને દંડ કરી બતાવેઃ વલસાડના અપક્ષ ઉમેદવાર

Webdunia
શનિવાર, 30 માર્ચ 2019 (13:29 IST)
માત્ર નબળા લોકોને કાયદાનો ડર બતાવીને પોલીસ શું સાબિત કરવા માંગે છે. એ ક્યારેય નથી સમજાતું. ભાજપ હોય કે કોંગ્રેસ હોય આ બે મોટા પક્ષની રેલીમાં જોડાયેલા બાઈક સવારોને પોલીસે ક્યારેય દંડ નથી ફટકાર્યો, પરંતુ વલસાડમાં એક અપક્ષ ઉમેદવારે ફોર્મ ભરતાં પહેલાં એક બાઈક રેલી યોજી અને રેલીમાં જોડાયેલા બાઈક સવારોને પોલીસે દંડ્યા. અહીં પોલીસનું બેવડું વલણ સાફ સાબિત થાય છે કે પોલીસમાં ભાજપ કે કોંગ્રેસની સામે બોલવાની કે તેમને દંડવાની સહેજ પણ હિંમત નથી.

પોલીસ માત્ર સામાન્ય અને નબળા લોકોને જ કાયદાનો ડર બતાવીને દંડવા માગે છે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થઇ ગઇ છે ત્યારે ઉમેદવારો રેલી સ્વરૂપે આવેદન પત્ર આપવા માટે નીકળી પડ્યા છે. જોકે, અપક્ષ તરીકે ઉમેદવારી ભરવા માટે નીકળેયાલા એક ઉમેદવાર સાથે ન વિચાર્યું હોય એવી ઘટના બની હતી. સંઘ પ્રદેશ દાદરા નગર હવેલી બેઠક ઉપર ઉમેદવારી કરવા માટે નીકળેલા અપક્ષ ઉમેદવાર દીપક કુરાડા સહિત રેલીમાં સામેલ હેલ્મેટ વગરના બાઇક ચાલકોને ટ્રાફિક પોલીસે દંડ વસુલ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની લોકસભા બેઠક ઉપરથી અપક્ષ ઉમેદવાર તરીકે દીપક કુરાડા ફોર્મ ભરવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા.તેઓ વાપીથી પોતાના સમર્થકો સહિત આશરે 200થી વધારે બાઇક સાથે રેલી સ્વરૂપે ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા.જોકે, સેલવાસામાં ટ્રાફિક પોલીસે રેલીને અટકાવી હતી. અને હેલમેટ વગર બાઇક ચલાવનાર દિપક કુરાડાને દંડ ફટકાર્યો હતો.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments