Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં બે દિવસમાં ૩૧૩ વ્યક્તિ 'હીટવેવ'નો શિકાર બન્યા

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (13:11 IST)
ઉનાળાએ રોદ્ર સ્વરૃપ દેખાડતાં ગરમીને લગતી બિમારીના કેસમાં પણ સતત વધારો નોંધાઇ રહ્યો છે. અમદાવાદમાં આજે ૧૩૯ વ્યક્તિ ગરમીને લગતી બિમારીના શિકાર બન્યા હતા. કાળઝાળ ગરમીમાં પેટમાં દુઃખાવો, બ્લડપ્રેશર, ચક્કર આવવાની ફરિયાદ સૌથી વધુ નોંધાઇ રહી છે. અમદાવાદમાં બુધવારે ૧૭૪ વ્યક્તિ ગરમીને લગતી બિમારીનો ભોગ બન્યા હતા.

આમ, છેલ્લા બે દિવસમાં ૩૧૩ વ્યક્તિ ગરમીને લગતી બિમારીના શિકાર બની ચૂક્યા છે. ઇમરજન્સી સેવા '૧૦૮' પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ ઉપરાંત રાજકોટ, સુરત, વડોદરા એમ ચાર મહાનગરમાં ગરમીને લગતી બિમારીના બુધવારે ૭૫૩ અને ગુરુવારે ૪૮૮ કેસ નોંધાયા હતા. આમ, બે દિવસમાં ૧૨૪૮ લોકો ગરમીને લગતી બિમારીના શિકાર બની ચૂક્યા છે. તબીબોના મતે ઉનાળામાં હીટસ્ટ્રોકથી બચવા માટે પાણી, નાળિયેર પાણી, છાસ પીતા રહેવું જોઇએ. લીંબુ પાણી અને શેરડીનો રસ ચોખ્ખી જગ્યાએથી પીવામાં આવે તે પણ જરૃરી છે. બહારનો ખોરાક ખાવામાં આવે તો પેટમાં દુઃખાવો, વોમીટની સમસ્યા સર્જાઇ શકે છે.
 

સંબંધિત સમાચાર

Makeup Mistakes: ચેહરા પર લગાવો છો રેગુલર ફાઉંડેશન તો થશે આ પ્રોબ્લેમ

World Asthma Day 2024 - અસ્થમાના દર્દીઓને રાખવી જોઈએ આ ખાસ સાવધાનીઓ

Voting Quotes - મારો વોટ મારો અધિકાર, મતદાન માટે લોકોને જાગૃત કરવા મોકલો વોટિંગ મેસેજીસ, ક્વોટ્સ

સવારે ખાલી પેટ પીવો હળદરની ચા, વધતું વજન થશે કંટ્રોલ, આ રોગો પણ થશે દૂર

Skin care in summer- ઉનાડામાં આ ભૂલોના કારણે ચેહરો થઈ શકે છે ખરાબ

ગુજરાતી જોક્સ- બોસના સરસ જોક્સ

કંગના રાણાવત બોલીવુડને કરશે ટાટા-બાયા બાય બોલી, મંડીથી લોકસભા ચૂંટણી જીતી તો છોડી દઈશ ફિલ્મ ઈંડસ્ટ્રી

મજેદાર જોક્સ- સલામત સ્વીટ્સ

ટાઈટેનિકના કેપ્ટન એડવર્ડ જે સ્મિથનુ નિધન, અભિનેતા બર્નાર્ડ હિલે 79 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments