Webdunia - Bharat's app for daily news and videos

Install App

અમદાવાદમાં યુવાને પત્ની અને બે પુત્રીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી

Webdunia
મંગળવાર, 22 મે 2018 (13:05 IST)
અમદાવાદ શહેરના જજીસ બંગલો ખાતે રત્ન ફ્લેટમાં ફાયરિંગ કરી પરિવારના 3 લોકોની હત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અમદાવાદ શહેરના રત્ન ફ્લેટમાં ધર્મેશ શાહ નામના વ્યક્તિએ પોતાની પત્ની અને 2 પુત્રીઓને પોતાની લાઇસન્સવાળી રિવોલ્વરથી હત્યા કરી મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

પોલીસે આ મામલે હત્યારાની ધરપકડ કરી વધું તપાસ હાથ ધરી છે.ધર્મેશ શાહે તેની પત્ની અમી શાહ અને બે દીકરીઓ દીક્ષા તથા હેલીને પોતાની લાયસન્સવાળી રિવોલ્વરથી ફાયરિંગ કરીને ત્રિપલ હત્યાને અંજામ આપ્યા બાદ પોતે ધર્મેશે જ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો અને હત્યાની જાણ કરી હતી સાતે જ હત્યારા ધર્મેશે સગાવ્હાલાને પણ આ ઘટના અંગે જાણ કરી હતી. હત્યા બાદ ધર્મેશ ફ્લેટમાં જ રોકાયો હતો. હાલમાં ધર્મેશે પગલું નાણાંકીય ભીડના કારણે ભર્યું હોવાનું જાણવા મળે છે. જો કે ત્રણની હત્યા કરીને પોતે કેમ આપઘાત ન કર્યો તે સવાલ હાલમાં ચર્ચાઈ રહ્યો છે.
 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments