Webdunia - Bharat's app for daily news and videos

Install App

બીજી પત્નીને ઘરે લઈ આવનાર પતિને પ્રથમ પત્નીએ સાટકાવાળી કરી

Webdunia
મંગળવાર, 22 મે 2018 (12:57 IST)
વાલોડ ખાતે રહેતા અને નિઝર તાલુકા પંચાયતમાં નોકરી કરતા તલાટી કમ મંત્રી વતનમાં રહેતી બીજી પત્નીને લઇ ઘરે પહોંચતા પ્રથમ પત્નીએ હાથમાં લાકડી લઇ બંનેને સપાટા મારીને માથું ફોડી નાંખતા બંનેને સપાટા મારીને માથું ફોડી નાંખતા બંનેને વાલોડ સરકારી દવાખાનામાં દાખલ કર્યા છે. વાલોડ ગામે આવેલા આનંદવિહાર એપાર્ટમેન્ટમાં અનિલ સોનાભાઇ ચૌધરી (મૂળ રહે. ખરેડા, તા. માંડવી, જિ. સુરત) પ્રથમ પત્ની વીણાબેન અને ૧૯ વર્ષના પુત્ર સાથે રહે છે અને નિઝર તાલુકા પંચાયતમાં તલાટી કમ મંત્રી તરીકે નોકરી કરે છે. તેમણે પોતાના વતન ખરેડા ગામે બીજી પત્ની (રખાત) વસંતાબેન ચૌધરીને રાખેલી છે.

ગત રવિવારે તે વતન ખરેડા ગામે પહોંચ્યો જ્યારે બીજી પત્ની વસંતા અનિલને મળવા વાલોડ આવી હતી. વસંતાએ અનિલને ફોન કરી વાલોડ બોલાવતા વાલોડ પહોંચેલા અનિલ ચૌધરી વસંતાને લઇને આનંદવિહાર એપાર્ટમેન્ટમાં પોતાના ફલેટ પર લઇ ગયો હતો. તે સમયે અનિલ ચૌધરીની પ્રથમ પત્ની વીણાબેન પુત્ર સાથે ચર્ચમાં ગયેલા હતા. સાંજે પાંચ વાગે વીણાબેન પુત્ર સાથે ફલેટ પર પહોંચતા અનિલ ચૌધરીને વસંતાની સાથે રૃમમાં જોતા જ વિણાબેન ગુસ્સે થઇ અપશબ્દો બોલી ઉશ્કેરાઇ જઇ હાથમાં લાકડી લઇ પતિ અનિલ ચૌધરી અને વસંતાને માથામાં તથા શરીરે સપાટા મારતા બંને લોહીલુહાણ થઇ ગયા હતા. અનિલ ચૌધરી અને વસંતાના માથામાં લાકડીના ફટકા મારતા માથું ફૂટી ગયું હતું. બંને ઇજાગ્રસ્તોને વાલોડ સરકારી દવાખાનામાં સારવાર માટે દાખલ કર્યા હતા. બનાવ અંગે અનિલ ચૌધરીએ પોતાની પ્રથમ પત્ની વિણાબેન વિરૃદ્ધ માર મારવાની ફરિયાદ આપતા વાલોડ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હિંદુ ધર્મમાં વિદાય સમયે દુલ્હન પાછળ ચોખા શા માટે ફેંકે છે

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ચા બનાવો

ગુજરાતી જોક્સ - ડાર્લિંગ તું સુંદર

ગુજરાતી જોક્સ - છોકરીઓ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

આગળનો લેખ
Show comments