Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાબરકાંઠામાં મજૂરોની જીપનો ટ્રક સાથે અકસ્માત, 6ના મોત

સાબરકાંઠા
Webdunia
સોમવાર, 26 ફેબ્રુઆરી 2018 (14:48 IST)
સાબરકાંઠાના વિજયનગરના કુંડલા ગામ પાસે જીપ અને ટ્રક વચ્ચે  ગમખ્વાર અકસ્માત થતાં 6 લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા હતા. સોમવારે સવારે થયેલા અકસ્માતમાં ઈજાગ્રસ્તોને ખેડબ્રહ્મા અને હિંમતનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં મોતને ભેટનારનો આંકડો વધી શકે તેવી શક્યતા સેવાઈ રહી છે. એક્સિડન્ટમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું બહાર આવ્યું છે. અકસ્માતમાં મોતને ભેટનારા મોટાભાગના નવાપગા ખારા બેડીના રહીશ છે.

તેઓ સવારે ઘરેથી નીકળીને ઈડરના ચોરવાડ ગામે બટાટા કાઢવાનું કામ કરવા જઈ રહ્યા હતા ત્યારે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો. આ બનાવ આશ્રમ નજીક પુડળા ત્રણ રસ્તા આંતરસુબા બીએડ કોલેજ પાસે બન્યો હતો. જેમાં રેતી ભરવા જતી ટ્રક સાથે જીપ સામસામે અથડાતાં ઘટનાસ્થળે જ 3ના મોત નિપજ્યા હતા. જ્યારે ખેડબ્રહ્મા ખાતે 3ના મોત નિપજ્યા હોવાનું જાણવા મળે છે.

 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

April Fools Day History- એક એપ્રિલના દિવસે જ શા માટે ઉજવાય છે એપ્રિલ ફૂલ્સ ડે

યુરિક એસિડને નિયંત્રિત કરવામાં ડુંગળીનું સેવન ફાયદાકારક છે, જાણો કેવી રીતે કરવો તેનો ઉપયોગ ?

નવરાત્રી દુર્ગા પૂજાના ફળ, જાણો 9 દિવસના ઉપવાસની રેસિપી

દૂધીનો હલવો બનાવવાની રીત

તેનાલી રામા અને જાદુગર

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ત્રીજા માળના ફ્લેટ

ક્રિકેટર પર આવ્યુ મલાઈકા અરોરાનુ દિલ ? વાયરલ તસ્વીરે ઈંટરનેટ પર મચાવી ધમાલ

શ્રી ચામુંડા માતાજી મંદિર - ચોટીલા

એમ્પુરાનમાંથી હટાવાશે ગુજરાત રમખાણોના સીન, રાજકીય વિવાદ વચ્ચે અભિનેતા મોહનલાલે માંગી માફી

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

આગળનો લેખ
Show comments