Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધરોઈ ડેમમાંથી પાણી છોડાતા અમદાવાદનો સાબરમતી રિવરફ્રન્ટ બંધ કરાયો

Webdunia
મંગળવાર, 25 જુલાઈ 2017 (13:40 IST)
ગુજરાતમાં સતત પાંચ દિવસથી વરસી રહેલા વરસાદના કારણે તબાહીનું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે રાજસ્થાનમાંથી ગુજરાતમાં ઘૂસેલા પાણીને લીધે ધરોઈ અને દાંતિવાડા ડેમમાં નવા નીરની ભરપુર પ્રમાણમાં આવક થઈ છે. જેને પરિણામે સોમવારે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતા અમદાવાદનો રિવરફ્રન્ટ રાહદારીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

તકેદારીના પગલા રૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરીજનોને અપીલ કરી છે કે જ્યાં સુધી જાણકારી આપવામાં ન આવે ત્યાં સુધી રિવરફ્રન્ટ ન જવા માટે સલાહ આપી છે.સાબરમતી નદીમાં પાણીના પ્રવાહમાં વધારાને ધ્યાનમાં રાખીને વાસણા બેરેજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. હવામાન ખાતાની આગાહી મુજબ હજુ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે.ભારે વરસાદને કારણે અમદાવાદ તેમજ ગાંધીનગરની તમામ પ્રાથમિક શાળાઓમાં રજા રાખવાની જાહેરાત કરી દેવામાં આવી છે. આ ઉપરાંત તમામ શિક્ષકોને શાળામાં હાજર રહી લોકોને મદદ માટે કહેવામાં આવ્યું છે.
 
 
 

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments