Webdunia - Bharat's app for daily news and videos

Install App

નેશનલ હાઈવે 53 પર ST બસ, ટેન્કર અને ક્રુઝર વચ્ચે અકસ્માતમાં 10ના મોત

National Highway Accident
Webdunia
મંગળવાર, 3 માર્ચ 2020 (10:50 IST)
સોનગઢના પોખરણ ગામ પાસે નેશનલ હાઇવે નંબર 53 પર બસ ટેન્કર અને ક્રુઝર વચ્ચે ટ્રિપલ એક્સિડન્ટ સર્જાયો હતો. જેમાં 10 વ્યક્તિઓના મોત નીપજ્યાં હોવાનું પ્રાથમિક તબક્કે કહેવામાં આવી રહ્યું છે. કુશલગઠથી ઉકાઈ જતી એસટી નિગમની બસને ટેન્કર ચાલકે રોગ સાઈડે આવીને અડફેટે લીધી હતી. આ દરમિયાન પાછળથી પુરપાટ આવતી ક્રુઝર ગાડીના ચાલકે કાબુ ગુમાવતા બસની પાછળ ટકરાઈ ગઈ હતી. ટ્રિપલ એક્સિડન્ટમાં ઘટના સ્થળે લગભગ દસ વ્યક્તિઓના મોત નીપજ્યાનું કહેવાઈ રહ્યું છે. ઇજાગ્રસ્ત તમામ લોકોને સોનગઢ અને વ્યારાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. એક્સિડન્ટ મુદ્દે વ્યારા અને સોનગઢ પોલિસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
ગમખ્વાર એક્સિડન્ટની જાણ થતાં લોકો ઘટના સ્થળે પહોંચ્યાં હતાં. સ્થાનિકોએ તંત્રને જાણ કરી હતી. જેથી ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સ સહિતના ખાનગી વાહનોમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. પોખરણ ગામ પાસે સર્જાયેલા એક્સિડન્ટના પગલે મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યાં હતાં. રસ્તા પરથી પસાર થતાં વાહનચાલકો પણ વાહનો થંભાવીને એક્સિડન્ટ જોવા પહોંચી ગયાં હતાં. જેથી રસ્તાની બન્ને બાજુ ટ્રાફિક જામ સર્જાયો હતો. સોનગઢનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. પોલીસે ઘટના સ્થળે સર્જાયેલી ટ્રાફિકની સ્થિતિને હળવી કરી હતી. સાથે જ લોકોની ભીડને પણ હળવી કરીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

Palm Sunday - પામ રવિવાર ક્યારે છે, આ દિવસ ખ્રિસ્તી ધર્મ માટે શા માટે ખાસ છે?

Kada Prasad recipe - ઘઉંના લોટનો શીરો

વધુ જુઓ..

નવીનતમ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

અમેરિકામાં રિતિક રોશનના શોને લઈને છેડ્યો વિવાદ, નબળી વ્યવસ્થા પર લોકો ગુસ્સે થયા

આગળનો લેખ
Show comments