Webdunia - Bharat's app for daily news and videos

Install App

નર્મદાનું પાણી છોડવા મુદ્દે ગુજરાત અને મધ્યપ્રદેશ વચ્ચે વિવાદ વકર્યો

Webdunia
ગુરુવાર, 27 જૂન 2019 (11:27 IST)
ગુજરાતે સરદાર સરોવર ડેમના દરવાજાની ક્ષમતા ચકાસવા માટે ડેમ તેની સર્વોચ્ચ સપાટી 138.68 મીટર સુધી પાણીથી ભરવા માટે મધ્યપ્રદેશ સરકાર પાસેથી પાણીની માગ કરી રહી છે, પરંતુ મધ્યપ્રદેશે વધુ પાણી ભરાશે તો ડૂબમાં જતાં ગામોને મોટી અસર પહોંચશે તેમ જણાવી પાણી આપવાનો ઇન્કાર કરી રહી છે. આ મુદ્દે હવે ગુજરાત સરકારે નર્મદા કંટ્રોલ ઓથોરીટી સમક્ષ આ મુદ્દો લઇ જવાની તૈયારી કરી છે. રાજ્યસરકારના અધિકૃત સૂત્રોના જણાવ્યાં મુજબ ગુજરાત સરકાર આ મુદ્દો આગામી સત્ર દરમિયાન ગુજરાત વિધાનસભામાં પણ ચર્ચામાં લાવશે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ગુજરાત સરકારના વરિષ્ઠ સનદી અધિકારી ડો. રાજીવ ગુપ્તાએ એક ગુજરાતી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે આ મુદ્દાને લઇને ઊભો થતો વિવાદ જ અસ્થાને છે. જે વખતે સુપ્રીમ કોર્ટે ગુજરાતને સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની અનુમતિ આપી હતી તે પૂર્વે જ આ પરિયોજનાના તમામ ભાગીદાર રાજ્યોએ સાથે મળીને જ આ મુદ્દાનું નિરાકરણ લાવી દીધું હતું અને ત્યારબાદ ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યાં છે.આ તરફ મધ્યપ્રદેશ વર્તમાન કમલનાથ સરકાર અગાઉની શિવરાજસિંહ ચૌહાણની ભાજપ સરકારે બંધ પરિયોજનાથી પ્રભાવિત કુટુંબોના પુનર્વસનની કામગીરી યોગ્ય રીતે ન કરી હોવાનો આક્ષેપ કરી રહી છે. આ માટે ગુજરાત સરકારે ફાળવેલાં રુપિયા 400 કરોડ પણ મૂળ જરુરિયાત સામે અપૂરતા હોવાનો મધ્યપ્રદેશ સરકારનો આરોપ છે.
 મધ્યપ્રદેશ સરદાર સરોવર ડેમમાંના 1450 મે.વોટની ક્ષમતાવાળા હાઇડલ પાવરમાંથી 57%નો ઊર્જાનો હિસ્સો માગી રહી છે. મધ્યપ્રદેશનું કહેવું છે કે જો ગુજરાત સરકાર વીજ ઉત્પાદન કરીને નહીં આપે તો પાણી પણ છોડવામાં નહીં આવે. ગુજરાતના ઊર્જામંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે હાલ આ પ્લાન્ટ બંધ હોવાથી ઊર્જાનું ઉત્પાદન થતું નથી.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Masala Turai Recipe:તમે આ પહેલા ક્યારેય મસાલા તુરિયા નું શાક નહિ ખાધુ હોય, આ રીતે તૈયાર કરો

સંભાર મસાલો બનાવવાની રીત

ગુજરાતી વાર્તા - ગધેડો કેમ મૂર્ખ બન્યો

Indian Wedding Desserts: મગની દાળના હલવાથી લઈને ગુલાબ જામુન સુધી, આ 5 પરંપરાગત મીઠાઈઓને ભારતીય લગ્નના મેનૂમાં શામેલ કરવી આવશ્યક છે

કયું ફળ ફ્રીજમાં ન મુકવું જોઈએ ? સ્વાદ બગડશે, સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડશે

વધુ જુઓ..

નવીનતમ

સલમાન ખાનને ફરી મળી ધમકી, વર્લી પોલીસે નોંધ્યો કેસ

Kedarnath opening date 2025- વર્ષ 2025માં કેદારનાથ અને ચાર ધામોના દરવાજા ક્યારે ખોલવામાં આવશે?

May travel destinationsજો તમે મે મહિનામાં મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો, તો તમારા પ્રિયજનો સાથે દેશના આ ટોપ ક્લાસ સ્થળોની મુલાકાત લો

માત્ર બિગ બી જ નહીં, આ સ્ટાર્સે પણ જયા બચ્ચનને જન્મદિવસની શુભેચ્છા પાઠવી, કાજોલે કહ્યું- 'સૌથી શાંત મહિલા'

જાણીતા ફિલ્મ પ્રોડ્યુસરનુ નિધન, રાની મુખર્જી અને તમન્ના ભાટિયાને કર્યા હતા લોંચ

આગળનો લેખ
Show comments