Webdunia - Bharat's app for daily news and videos

Install App

મોબાઈલ અને હિંસાત્મક ગેમના વળગણથી બાળકોમાં માનસિક રોગનું પ્રમાણ વધ્યું

Webdunia
રવિવાર, 5 સપ્ટેમ્બર 2021 (09:43 IST)
કોરોનાના વિકટ સમયગાળમાં સતત કલાકો સુધીના સ્ક્રીન એડિકશનના લીધે શાળામાં ભણતા બાળકો મોબાઈલ સ્ક્રીન એડિકશનનો ભોગ બન્યા છે. કોરોનાના સમયમાં મોટાભાગના બાળકો ઘરે રહેવાથી મોબાઈલ, કમ્પ્યૂટર, લેપટોપનો વપરાશ સતત કલાકો સુધી વધવાના કારણે બાળકોમાં ફ્રી ફાયર, ફોર્ટ નાઈટ, મિલિમિલેશિયા સહિતની હિંસાત્મક વર્તૂણક વધારતી ગેમ રમવા માટેનું ચલણ વધ્યં છે. પરિણામે શાળામાં ભણતા બાળકોમાં સાયકોપેથિક (મનોવિકૃત વર્તન) અને સોશિયોપેથિકની સમસ્યા બાળકોમાં વધી હોવાનું સાઈકોલોજિસ્ટ જણાવી રહ્યા છે. સાઈકોલોજિસ્ટ પાસે સારવાર લેવા આવનારા કુલ દર્દીઓમાંથી 70 ટકા કરતા વધુ દર્દીઓ શાળામાં અભ્યાસ કરતા બાળકો હોવાનું બહાર આવ્યું છે.છેલ્લા કેટલાક મહિનાઓથી કોરોનાના વ્યાપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ ઘણાં લાંબા સમય સુધી વિદ્યાર્થીઓએ મોબાઈલ કે કમ્પ્યૂટરના માધ્યમથી ઓનલાઈન શિક્ષણ મેળવ્યું હોવાથી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ઓનલાઈન સ્ક્રીનનું એડિકશન વધ્યુ છે. શાળાના બાળકો મિત્રોની સાથે ગ્રૂપમાં ફોર્ટ નાઈટ, મિલિમિલેશિયા, બેટર ગ્રાઉન્ડ મોબાઈલ ઈન્ડિયા,જીટીએ-5 સહિતની ગેમ્સ રમે છે. તેના કારણે ચીડિયાપણું, હિંસાત્મક વર્તન, ડિપ્રેશન, એક્ઝાઈટી, અનિદ્રા, શૈક્ષણિક પર્ફોમન્સ પર વિપરિત અસર, મા-બાપ સાથે સંવાદિતાનો અભાવ, એકલાપણું સહિતની સમસ્યા સર્જાય છે.નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે ઓનસ્ક્રીન એડિકશનમાં ફસાયેલ બાળક જો 10 મિનિટથી લઈને 30 મિનિટ કરતા વધારે સમય માટે મોબાઈલથી દૂર ના રહી શકે તો સાઈકોલોજિસ્ટનો સંપર્ક કરવો હિતાવાહ છે. નહી તો લાંબાગાળાની વર્તણૂકને લગતી સમસ્યા થવાની પ્રબળ શક્યતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments