Webdunia - Bharat's app for daily news and videos

Install App

મંજુરી સાથે વતન જઈ રહેલા પરપ્રાંતિય લોકોને પોલીસે રોક્યા, ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા

Webdunia
શનિવાર, 2 મે 2020 (13:17 IST)
કેન્દ્ર સરકાર દ્વારા પરપ્રાંતિયોને વતન જવાની મંજૂરી આપ્યા બાદ લોકો પાસ લઇને વતન તરફ જઇ રહ્યા છે. જોકે વડોદરા જિલ્લાના કરજણ ટોલનાકા ઉપર યુપી, બિહાર અને રાજસ્થાન તરફ જઇ રહેલા લોકોને રોકતા પરપ્રાંતિય લોકોએ વાહનો ઉપર પથ્થરમારો કરીને ટ્રાફિકજામ કર્યો હતો. જોકે વધુ પોલીસ બોલાવીને પોલીસે ટ્રાફિકને ખુલ્લો કર્યો હતો.

સુરત અને ભરૂચ તરફથી યુપી, બિહાર અને રાજસ્થાનના લોકો શુક્રવારે રાત્રે 1 વાગ્યે કરજણ ટોલનાકા ઉપર પહોંચ્યા હતા. આ લોકો પાસે પાસ હોવા છતાં કરજણ ટોકનાકા ઉપર પરપ્રાંતિય લોકોને પોલીસે રોક્યા હતા. જેથી આ લોકો રાત્રે બસો અને ટ્રકોમાં જ બેસી રહ્યા હતા અને સવારે પરપ્રાંતિય લોકોએ વતન જવાની માંગ સાથે ટ્રાફિકજામ કર્યો હતો અને વાહનો ઉપર પથ્થરમારો પણ કર્યો હતો. પરપ્રાંતિય લોકોનો ગુસ્સો જોતા વધુ પોલીસ બોલાવવામાં આવી હતી અને પોલીસે પરપ્રાંતિય લોકોને સમજાવીને ટ્રાફિક ખુલ્લો કર્યો હતો.પરપ્રાંતિય લોકોએ આક્ષેપ કર્યો હતો કે, સરકારની મંજૂરી બાદ અમે પાસ કઢાવીને અમારા વતન તરફ જવા માટે નીકળ્યા છીએ. અમારી પાસે પાસ હોવા છતાં અમને રોકવામાં આવ્યા છે. અમને વતન જવા દેવામાં આવે તેવી અમારી માંગણી છે.
 
 

સંબંધિત સમાચાર

જો રેફ્રિજરેટરના દરવાજાના રબરમાં ગંદકી એકઠી થઈ ગઈ હોય, તો તેને આ રીતે સાફ કરો

ડાયાબિટીસમાં ફાયદાકારક છે આ બીજ, જાણો શુગર લેવલ કંટ્રોલ કરવા માટે કયા બીજ ખાવા જોઈએ ?

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

સૈફ અલી ખાનની દીકરી સારા બનશે દુલ્હન, એક અમીર બિઝનેસમેન સાથે ગુપચુપ સગાઈ કરી, ટૂંક સમયમાં મંગેતર સાથે 7 ફેરા લેશે

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

આગળનો લેખ
Show comments