Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજે પીએમ મોદી માનગઢની મુલાકાતે, ત્રણ રાજ્યોથી ઘેરાયેલા માનગઢનો આવો છે ઇતિહાસ

Webdunia
મંગળવાર, 1 નવેમ્બર 2022 (11:30 IST)
પ્રધાનમંત્રી 1 નવેમ્બર, 2022ના રોજ એટલે કે આજે રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના માનગઢની મુલાકાત લઈ રહ્યા છે, જ્યાં તેઓ ભીલ આદિવાસીઓની એક સભાને સંબોધન કરવાના છે. 
 
માનગઢ હિલ એ અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે અને સમૃદ્ધ જૈવવિવિધતા શ્રેણી ધરાવે છે. આ ટેકરી મહી નદી પરના કડાણા બંધની નજીક છે, મહી નદી રાજસ્થાનમાંથી નીકળે છે અને ગુજરાતની વસ્તીના ત્રીજા ભાગની વસ્તીને સિંચાઈ આપે છે. 
 
માનગઢનો વિસ્તાર રાજસ્થાનમાં ૧૩૫ હૅક્ટર અને ગુજરાતમાં ૧૫ હૅક્ટર સાથે અંદાજે ૧૫૦ હૅક્ટર છે. આ વિસ્તાર અન્ય ત્રણ રાજ્યોથી ઘેરાયેલો છે, જ્યાં ભીલની કુલ વસ્તી આશરે 12 કરોડ જેટલી છે, જે ચાર રાજ્યોના 36 જિલ્લાઓમાં ફેલાયેલી છે. તેમાંથી અંદાજે 3 કરોડ ભીલો માનગઢ સાઇટ સાથે જોડાણ ધરાવે છે. માનગઢ એ અનુસૂચિત આદિજાતિ વિસ્તાર અને સંરક્ષિત વન વિસ્તાર પણ છે.
 
રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશમાં આદિવાસીઓની વસ્તી પથરાયેલી છે. રાજસ્થાનમાં તેઓ સિરોહી, રાજસમંદ, ઉદયપુર, ચિત્તૌરગઢ, ઉદયપુર, ડુંગરપુર, પ્રતાપગઢ અને બાંસવાડા જિલ્લામાં આવે છે, જેની વસ્તી ૪૨ લાખ ભીલ છે. ગુજરાતમાં તેઓ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, ડાંગ, વલસાડ અને દાહોદ જિલ્લામાં આવે છે, જેની વસ્તી 42.7 લાખ ભીલ છે. મધ્ય પ્રદેશમાં તેઓ મંદસૌર, રતલામ, ઝાબુઆ અને અલીરાજપુર જિલ્લામાં આવે છે, જેની વસ્તી ૫૯.૯ ભીલ છે. છેવટે, મહારાષ્ટ્રમાં તેઓ નંદુરબાર, ધુલે, નાસિક, ઔરંગાબાદ, પાલઘર, અહમદનગર, જલગાંવ, થાણે, રાયગઢ અને પૂણે જિલ્લાઓમાં આવે છે. 
 
ત્યાં ત્રણ સ્મારકો છે જે આદિજાતિઓ અને ત્યાં થયેલા હત્યાકાંડની યાદમાં ટેકરી પર પહેલેથી જ બનાવવામાં આવ્યાં છે. એક શહીદ સ્મારક છે જેનું નિર્માણ 2003માં કરવામાં આવ્યું હતું, ગોવિંદ ગુરુને સમર્પિત એક પ્રતિમાનું ઉદ્ઘાટન 2008માં કરવામાં આવ્યું હતું અને 2017માં રાષ્ટ્રીય સ્વતંત્રતા સંગ્રામ સંગ્રહાલયનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. 
 
ગોવિંદ ગુરુ એક સામાજિક અને ધાર્મિક સુધારક હતા જેમણે ભગત ચળવળની પહેલ કરી હતી અને ભીલોમાં ઓળખરૂપ દરજ્જો મેળવ્યો હતો. તેમણે સ્વામી દયાનંદ સરસ્વતીના આદર્શોમાંથી પ્રેરણા લીધી હતી અને ૧૮૮૩માં સંપ સભાની સ્થાપના કરી હતી. તેમણે ભીલ ચળવળની આગેવાની લીધી હતી જે ૧૯૧૩ના માનગઢ હત્યાકાંડ તરફ દોરી ગઈ હતી. ૧૯૨૩માં તેમની મુક્તિ થઈ ત્યાં સુધી બ્રિટીશ દળો દ્વારા તેમને કબજે કરવામાં આવ્યા હતા. ૧૯૩૧માં તેમનું અવસાન થયું.  1770થી ભીલો બ્રિટિશરો સાથે આની સાથે ચાલી રહેલા બહુઆયામી સંઘર્ષમાં રોકાયેલા હતા. 
 
ગોવિંદ ગુરુએ એક ધાર્મિક મેળા માટે કરેલાં આહવાનના પ્રતિભાવરૂપે, ૧૭ નવેમ્બર, ૧૯૧૩ના રોજ માનગઢ ટેકરી પર ત્રણ રાજ્યો (રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ)ના દોઢ લાખ ભીલો એકઠા થયા હતા. બ્રિટિશરોએ એકઠા થયેલા લોકો પર ગોળીબાર કર્યો હતો અને આશરે ૧૫૦૭ લોકો માર્યા ગયા હતા. રાજસ્થાનનાં મુખ્યમંત્રીએ પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે, જ્યાં સ્મારકો અસ્તિત્વ ધરાવે છે એ 4 હૅક્ટર વિસ્તારને રાષ્ટ્રીય સ્મારક તરીકે જાહેર કરવામાં આવે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

છોકરાઓના નામ રામના નામ પર

ટીબી નાબૂદી લક્ષ્યાંકમાં ગુજરાત આગળ, 95% સિદ્ધિ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સફળતા મળી

Health Tips: નાસ્તામાં ખાવ આ પૌષ્ટિક વસ્તુ, વિટામિનની ઉણપ થશે દૂર અને પાચન પણ રહેશે ઠીક

ત્વચાની સારી સંભાળ માટે આ હર્બલ ફેસ મિસ્ટ બનાવો

ડુંગળી અને લસણ વગરની સ્વાદિષ્ટ મખાના કોફ્તા ગ્રેવી તૈયાર કરો, આ રહી વાયરલ રેસીપી.

વધુ જુઓ..

નવીનતમ

જાણીતા અભિનેતાનું થયું નિધન, બિમારીએ લીધો જીવ, ટીવી-બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક

14 વર્ષ પછી બોલીવુડમાં કમબેક કરી રહી છે આ સુંદર અભિનેત્રી, માતા-પિતાએ પણ કર્યું રાજ, ભાઈ પણ કમબેક પછી બન્યો સુપરસ્ટાર

Family Vacation In India With Family- એપ્રિલમાં તમારા પરિવાર સાથે દેશના આ અદ્ભુત અને સુંદર સ્થળોને ડેસ્ટિનેશન પોઈન્ટ બનાવો.

યુઝવેન્દ્ર ચહલ-ધનશ્રી વર્માના આજે છૂટાછેડા થશે, ચહલ 4.75 કરોડ રૂપિયાનું ભરણપોષણ આપશે.

Maa Kamakhya Temple: મા કામાખ્યા દેવીના દર્શન કરવા પણ જઈ શકો છો, જાણો પ્રતિ વ્યક્તિ કેટલો ખર્ચ થશે

આગળનો લેખ
Show comments