Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં તીડના હુમલા સામે ખેડૂતોને આશરે 19 કરોડ રૂપિયાનું વળતર

Webdunia
રવિવાર, 22 માર્ચ 2020 (10:14 IST)
ગુજરાતમાં થયેલા તીડના હુમલાને પગલે હજારો હૅક્ટર જમીન પર પાકને નુકસાન પહોંચ્યું હતું. બનાસકાંઠા અને પાટણમાં થયેલા તીડના હુમલાએ ખેડૂતોનું ભારે નુકસાન કર્યું હતું. ટાઇમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રકાશિત એક અહેવાલ પ્રમાણે આ ખેડૂતોને આશરે 19 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે.
 
તીડના હુમલામાં 14,846 હેક્ટર જમીન પર પાકને નુકસાન થયું હતું. આ મુદ્દે વિધાનસભામાં થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુતના સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે તીડના હુમલાથી ઘઉં, જીરું, વરિયાળી, રાઈ અને કપાસને પાકને નુકસાન થયું હતું. આ હુમલાને રોકવા માટે સ્થાનિક સ્તરે તેમજ BSFની મદદ પણ લેવામાં આવી હતી.
 
સરકારે તીડ ભગાડવાની કામગીરી શિક્ષકોને પણ સોંપી હતી જેનો વિવાદ થયો હતો. સરકારે કહ્યું છે કે બનાસકાંઠામાં 9,012 ખેડૂતોને 18.73 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવામાં આવ્યું છે. ડિસેમ્બરમાં રાજ્ય સરકારે મહેસાણા, કચ્છ, પાટણ અને સાબરકાંઠાના ખેડૂતોને પણ વળતરનું આશ્વાસન આપ્યું હતું. જોકે આ જિલ્લાઓમાં તીડના હુમલાથી પાકને કોઈ નુકસાન ન થયું હોવાથી વળતર આપવામાં આવ્યું નથી. 
 

સંબંધિત સમાચાર

દૂધવાળી ચા ને ICMR બતાવી સોંથી ખતરનાક, જાણી લો તો પછી કઈ ચા પીવી જોઈએ ?

High Blood Pressure: હાઈ બ્લડ પ્રેશરને સહેલાઈથી કંટ્રોલ કરવા માટે ફોલો કરો આ 5 ટિપ્સ

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

'તારક મેહતા' ના સોઢી 25 દિવસ પછી ઘરે પરત ફર્યા, આટલા દિક્વસ ક્યા હતા ગુરુચરણ સિંહ થયો ખુલાસો

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

આગળનો લેખ
Show comments