Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધીએ પીએમ મોદી પર કટાક્ષ કરતાં કહ્યું- તાળીઓ અને થાળી વગાડવાથી અર્થવ્યવસ્થામાં સુધારો થતો નથી

Webdunia
રવિવાર, 22 માર્ચ 2020 (10:09 IST)
ભારતમાં કોરોના વાઇરસનો કેર વધતો જઈ રહ્યો છે. આ વાઇરસનો માર વિશ્વના અર્થતંત્રને પણ લાગી રહ્યો છે તેવામાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર પ્રહાર કર્યા છે. કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સરકાર પાસે એક મોટા આર્થિક પૅકેજની માગ કરી છે.
 
રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું છે કે કોરોના વાઇરસ આપણી અર્થવ્યવસ્થા પર એક મોટો પ્રહાર છે. નાના, મધ્યમ વેપારીઓ અને મજૂરી કરતા લોકો તેનાથી સૌથી વધારે પ્રભાવિત છે.  હાલ તાળીઓ વગાડવાથી કંઈ નહીં થાય. અત્યારે રોકડ મદદ, ટૅક્સ બ્રેક અને દેવામાફી જેવા મોટા આર્થિક પૅકેજની જરૂર છે.
 
મહત્વનું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22 માર્ચ એટલે કે આજે જનતા કરફ્યુની ઘોષણા કરી છે અને સાંજે પાંચ વાગ્યે પોત-પોતાના ઘરોમાં તાળી કે થાળી વગાડીને કોરોના સામે લડવામાં મદદ કરી રહેલા લોકોનું સન્માન કરવાની અપીલ કરી છે. ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આ જ અપીલ વિશે જ ટિપ્પણી કરી છે. 

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments