Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજ્ય સરકારે આપી રાહત, હવે ૧૪ જાન્યુઆરી ૨૦૨૦ સુધી ખેડૂતો રાહત માટે અરજી કરી શકશે

Webdunia
ગુરુવાર, 2 જાન્યુઆરી 2020 (09:39 IST)
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને આજે યોજાયેલી બેઠકમાં કૃષિ રાહતપેકેજ સંદર્ભે મહત્વપૂર્ણ ચર્ચા વિચારણા કરવામાં આવી. રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતો માટે 3800 કરોડના સહાયક પેકેજની જાહેરાત કરી હતી. આ પેકેજનો લાભ લેવા માટે ખેડૂતોએ ઓનલાઇન અરજી કરવાની હતી. અને ૩૧મી ડિસેમ્બર સુધી ખેડૂતો અરજી કરી શકવાના હતા. જોકે એ મુજબ ગઇકાલે પૂર્ણ થઈ છે.
 
આ મુદત પૂર્ણ થતા આજે કેબિનેટ બેઠકમાં ખેડૂતોના હિતમાં આ મુદતમાં વધારો કરવાની ચર્ચા વિચારણા કરવામાં આવી અને હવે ૧૪મી જાન્યુઆરી સુધી મુદત વધારી દેવામાં આવી છે. એટલે હવે રાજ્યના ખેડૂતો ખુશી રાહતપેકેજ નો લાભ લેવા માટે ઓનલાઇન ૧૪મી જાન્યુઆરી સુધી અરજી કરી શકશે. 
 
રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ જાહેરાત કરતા જણાવ્યું કે રાજ્યના ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવાયો છે અત્યાર સુધી એટલે કે 31મી ડિસેમ્બર સુધી 30 લાખ કરતાં વધુ ખેડૂતો અરજી કરી ચુક્યા છે. જ્યારે રાજ્ય સરકાર દ્વારા 8.28 લાખ ખેડૂતોને કૃષિ સહાય પેકેજમાંથી લાભ પણ આપી દીધો છે જેની રકમ 600 કરોડ થી વધારે ની થવા જાય છે. બાકી રહેલા ખેડૂતોને વહેલામાં વહેલી તકે ખુશી રાહતપેકેજ માંથી વળતર ચૂકવી આપવામાં આવશે. રાજ્યમાં ૫૮ લાખથી વધુ ખેડૂતો નોંધાયેલા છે તેમાંથી હજુ સુધી ૩૦ લાખથી વધુ ખેડૂતોએ પોતાની નોંધણી કરાવી છે એટલે બાકી રહેલા ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે આ મુદતમાં વધારો કરવાનો નિર્ણય લેવાયો છે.

સંબંધિત સમાચાર

શું તમને પણ રાત્રે જમ્યા પછી ગેસ અને એસિડિટીના કારણે છાતીમાં બળતરા થાય છે તો અજમાવો આ ઘરેલું ઉપાય, તરત જ રાહત મળશે

Youthful Skin: ઉમ્ર વધતા જ ત્વચામા દેખાય છે એજિંસ સંકેત અજમાવો ચેહરા પર આ વસ્તુઓ

કાજુ બદામ કુલ્ફી રેસીપી Kaju Badam Kulfi Recipe

Gujarati Moral Story - સાચા મિત્રની ઓળખ

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

Loksabha polls -અલ્લુ અર્જુન YRS ધારાસભ્યને સમર્થન આપવા આવ્યો હતો, આચારસંહિતાના ભંગ બદલ બંને વિરુદ્ધ કેસ

Char dham yatra ના દરમિયાન ક્યાનુ રસ્તો છે સૌથી વધારે મુશ્કેલ, જતા પહેલા જાણી લો

શ્રીકાંત રિવ્યુ - નેટિજેંસને ગમી ગઈ રાજકુમાર રાવની ફિલ્મ, બોલ્યા - આ છે એવોર્ડ વિનિંગ પરફોરેમેંસ

રણવીર કપૂર પછી હવે સલમાન ખાનની અભિનેત્રી બનશે આ અભિનેત્રી, સિકંદરમાં કરશે ધમાકો

‘ફક્ત પુરૂષો માટે’: આનંદ પંડિત અને વૈશલ શાહ વધુ એક માઈલસ્ટોન ગુજરાતી ફિલ્મ લાવી રહ્યા છે

આગળનો લેખ
Show comments