Webdunia - Bharat's app for daily news and videos

Install App

લાલજી પટેલ હવે સરકાર સામે બાંયો ચડાવશે

લાલજી પટેલ
Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (11:49 IST)
વિધાનસભા ચુંટણી બાદ સુષુપ્ત અવસ્થામાં રહેલાં સરદાર પટેલ ગૃપને ફરીથી ચેતનવંતુ બનાવવા લાલજી પટેલે રાજ્ય સરકાર સામે વિવિધ આંદોલનો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. એસપીજીનાં અધ્યક્ષ લાલજી પટેલ મહેસાણામાં આજે વિવિધ કાર્યક્રમોની જાહેરાત કરે તેવી સંભાવના છે. સરદાર પટેલ ગૃપ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ગઢ રાજકોટમાં ૩૧ ઓક્ટોબરનાં રોજ સરદાર પટેલની જન્મજયંતિ પ્રસંગે કર્મવીર રેલીનું આયોજન કરાયુ છે. કર્મવીર રેલીમાં હજારો પાટીદારોને એકઠાં કરીને રાજ્ય સરકારને પડકાર ફેંકવામાં આવનાર છે. જ્યારે ૧૫ થી ૨૦ નવેમ્બર દરમિયાન સાબરકાંઠામાં ખેડૂત સંમેલનમાં એક લાખ ખેડૂતોને એકઠાં કરવાનું આયોજન કરાયુ છે. આ ઉપરાંત જાન્યુઆરી મહિનામાં સુરત, કલોલ અથવા સૌરાષ્ટ્રનાં શહેરમાં પાંચ લાખ પાટીદારોને એકઠાં કરવાની વિચારણા હાથ ધરાઈ છે. આમ આગામી ત્રણ મહિના દરમિયાન એસપીજી દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરીને મોંઘવારી, ખેડૂતો, પાટીદાર અનામત, અલ્પેશ કથીરીયા જેવા પ્રશ્ને મોટા કાર્યક્રમો કરીને રાજ્ય સરકારને ભીડવવાનો પ્રયાસ કરાનાર હોવાનું લાલજી પટેલે નવગુજરાત સમય સાથે કરેલી વાતચીતમાં કહ્યું હતું. આ તમામ કાર્યક્રમોની આજે મહેસાણામા યોજાનાર પત્રકાર પરિષદમાં જાહેરાત થાય તેવી શક્યતા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આ વસ્તુઓની ઉણપથી હાડકાં પડી જાય છે નબળા, ફ્રેક્ચર થવાનું વધે છે જોખમ, Strong Bones માટે કરો આ કામ

સૂકા ચણા

ગુજરાતી કપલની અનોખી લવસ્ટોરી! વર્ષો જૂનું સપનું 80 વર્ષની ઉંમરે પૂરું થયું

ચિકન ફીટર્સ

ગુજરાતી લગ્નમાં મંગલ મુહૂર્ત

વધુ જુઓ..

નવીનતમ

દિશા સાલિયાન કેસમાં મોટુ ટ્વિસ્ટ, ક્લોઝર રિપોર્ટમાં પિતાના અફેયર, પૈસાનો દુરુપયોગનુ મોત સાથે કનેક્શન

ગુજરાતી જોક્સ - ઘર કેવી રીતે ચલાવવો

Salman Khan: ગેલેક્સી હુમલા પર પહેલીવાર બોલ્યા સલમાન, કહ્યુ જેટલી ઉંમર લખી છે એટલી તો રહેશે જ

શિલ્પા શિરોડકરે ગુજરાતના અંબાજી માતા શક્તિપીઠ મંદિરમાં પૂજા કરી, ફિલ્મ 'જટાધારા' માટે આશીર્વાદ લીધા

ઐશ્વર્યા રાયની લક્ઝરી કાર સાથે બેસ્ટની બસની ટક્કર, અકસ્માત સમયે બચ્ચનની વહુ કારમાં નહોતી

આગળનો લેખ
Show comments