Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતમાં ‘ક્યાર’નો ખતરો ટળ્યો અને ફરી પાછી નવી સિસ્ટમ સક્રિય થઈ

Webdunia
ગુરુવાર, 31 ઑક્ટોબર 2019 (13:11 IST)
ગુજરાતમાં હાલમાં જ ક્યાર નામના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ત્યારે ફરી એક વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થયું છે. ઓમાને આ વાવાઝોડાનું નામ ‘મહા’ વાવાઝોડું નામ આપ્યું છે. ક્યાર વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને બેસતા વર્ષ અને દિવાળી બગાડી હતી. તો તેને કારણે ખેડૂતોનાં પાકને પણ ખાસ્સું નુકસાન પહોંચ્યું હતું. ત્યારે હવે આ નવા વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા છે. લક્ષ્યદ્રીપ પાસે મહા વાવાઝોડું તૈયાર થયું છે. આ વાવાઝોડું તિરુવનનંતપુરમથી 450 કિમી દૂર છે. આ વાવાઝોડું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે રાજ્યનાં પૂર્વ દક્ષિણનાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે. આ વાવાઝોડું 6 કલાકમાં સિવિયર બની જશે. 80થી 90 કિમીની ઝડપે પવન પણ ફૂંકાશે. જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. લક્ષ્યદ્રીપથી ગુજરાત તરફ આગળ વધી રહેલું વાવાઝોડું અંતે ઓમાન તરફ ફંટાશે. આ વાવાઝોડું ગુજરાત અને મહારાષ્ટ્રની નજીક પહોંચશે. તે દરમિયાન ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ છે. આગામી 24 કલાક દરમિયાન લક્ષ્યદ્રીપમાં ઊંચા મોજા ઉછળવાની સંભાવના છે. જેથી રાજ્યનાં દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments