Webdunia - Bharat's app for daily news and videos

Install App

Morbi - કિયા કારમાં લાગી આગ, સિરામિકના વેપારીનું મોત, આગને કારણે કારના દરવાજા થયા લોક, પરંતુ રૂ. 5 લાખ, પિસ્તોલ, ઘડિયાળ, 8 મોબાઈલ સલામત

Webdunia
મંગળવાર, 1 ઑક્ટોબર 2024 (23:37 IST)
CAR FIRE
Morbi News: મોરબીમાં સિરામિકના વેપારી અજય ગોપાણીની Kia કારમાં અચાનક આગ લાગી હતી અને કાર બળીને ખાખ થઈ ગઈ હતી. તેઓ લીલાપર કેનાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ ટેકનિકલ કારણોસર વાહનમાં આગ લાગી હતી. થોડી જ વારમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી. આગ લાગતાની સાથે જ કારના દરવાજા લોક થઈ ગયા હતા અને તેઓ બહાર નીકળી શક્યા ન હતા. જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.

<

BREAKING: Tragic news from Morbi! Tiles businessman Ajay Gopani dies in a mysterious car fire on Kanal Road. CCTV shows the car burst into flames. Police are investigating the cause, despite the car not having CNG. #Morbi #CarFire #Tragedy pic.twitter.com/cIHdpX9Zwz

— Siddharth Pandya (@siddharthpandy) October 1, 2024 >
 
આગની જાણ થતા જ મોરબી નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તાત્કાલીક ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોંચી પાણીનો છંટકાવ કરીને આગને કાબુમાં લીધી હતી. આ અંગે મોરબી એ-ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
 
સૂત્રોના જણાવ્યા મુજબ અજય ગોપાણી સિરામિક ક્ષેત્રના જાણીતા ઉદ્યોગપતિ છે. કાર આગ લાગી હોવાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં લોકો દોડી આવ્યા હતા. આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો અને ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર વિભાગની ટીમ તથા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો હતો. ત્યારબાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.  
 
 કારમાંથી 5 લાખ રોકડા, 8 મોબાઇલ, સોનાની વિંટી અને પિસ્તોલ મળી આવી છે, જે મૃતકના પિતરાઇને સોંપવામાં આવી હતી. આગ કયા કારણોસર લાગી હતી તે અંગે કોઇ જાણકારી પ્રાપ્ત થઇ નથી. જોકે પોલીસે ગુનો વધુ તપાસ હાથ ધરી છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

અમદાવાદના પટેલ પરિવારે 630 લિટર રક્તદાન કર્યું છે, ત્રણ પેઢીઓ પરંપરાને અનુસરી રહી છે

Lucknow Delivery Boy Murder: ફ્લિપકાર્ટ પરથી રૂ. 1.5 લાખની કિંમતનો ફોન ઓનલાઈન ઓર્ડર કર્યો; પૈસાની માંગણી કરતાં ડિલિવરી બોયની હત્યા

ભારતે બાંગ્લાદેશથી બીજી ટેસ્ટ મૅચ જીતી, 2-0થી સિરીઝ કબજે કરી

વારાણસીમાં સાંઈની મૂર્તિઓ હટાવવામાં આવી રહી છે, અત્યાર સુધી 14 મંદિરોમાંથી મૂર્તિઓ હટાવી છે

Gandhi Jayanti Speech in Gujarati: ગાંધી જયંતિ 2024 પર આપો આ ભાષણ, બધા પાડશે તાળીઓ

આગળનો લેખ
Show comments