Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં ચોકીદારની બે બાળકીઓ સ્વિમિંગ પૂલમાં ખાબકી, ડૂબી જતાં બંનેના મોત

Webdunia
સોમવાર, 17 જૂન 2024 (14:09 IST)
rajkot news
 રાજકોટમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરમાં યુનિવર્સિટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ એપાર્ટમેન્ટમાં ચોકીદારી કરતા નેપાળી પરિવારની બે બાળકી રમતા રમતા સ્વિમિંગ પૂલમાં પડી ગઈ હતી.સ્થાનિકોએ 108 બોલાવી બન્ને બાળકીને બચાવવા કોશિશ કરી હતી. પરંતુ બન્ને બાળકીનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બાળકીઓના પરિવારજનોમાં શોકનો માહોલ છવાયો છે.પોલીસે બંને બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. 
 
બન્ને બાળકીને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડી
પ્રાપ્ત વિગતો પ્રમાણે યુનિવર્સીટી રોડ પર આવેલ શિલ્પન ઓનિક્સ સોસાયટીમાં ગઈકાલે રાત્રે સ્વિમિંગ પૂલમાં બે બાળકીના ડૂબી જવાથી મોત થયા હોવાના બનાવની જાણ થતા સોસાયટીના લોકો એકઠા થઈ ગયા હતાં અને બન્ને બાળકીને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢી 108 મારફત હોસ્પિટલ ખસેડી હતી.બનાવ અંગેની જાણ સિવિલ ચોકીના સ્ટાફે યુનિવર્સિટી પોલીસને કરી હતી અને પોલીસે આવી મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.બન્ને બાળકીના પરિવારજનો મૂળ નેપાળના વતની છે અને અહીંયા શિલ્પન ઓનિક્સ બિલ્ડિંગમાં રહી તેઓ ચોકીદારનું કામ કરે છે.
 
કવર્ડ કરેલ સ્વિમિંગ પુલમાં બાળકીઓ પહોંચી ગઈ હતી
સોસાયટીના રહેવાસીએ જણાવ્યું હતું કે, ગઈકાલે રવિવાર હોવાથી બધા જ લોકો સોસાયટીના ક્લબ હાઉસમાં થિયેટરમાં પિક્ચર જોવા ગયા હતા. આ પછી એકાદ કલાક બાદ સોસાયટીના અન્ય કોઈ સ્વિમિંગ પૂલ પાસેથી પસાર થતા એક બાળકીને પાણીમાં જોઈ હતી અને થોડીવારમાં અન્ય એક બાળકી પણ જોવા મળી હતી. તુરંત 108ને પણ જાણ કરવામાં આવી હતી, પરંતુ બન્ને બાળકી મૃત હાલતમાં જ હોવાનું જાણવા મળ્યું હતું. સ્વિમિંગ પૂલ કવર્ડ કરેલ છે આમ છતાં બન્ને બાળકી અંદર પહોંચી ગઈ હતી અને બન્નેના પગ લપસી જતા અંદર પડી જવાથી ડૂબી જતા મોત નીપજ્યાનું લાગી રહ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Gandhi Jayanti 2024: દર વર્ષે 2 ઓક્ટોબરના રોજ કેમ ઉજવાય છે ગાંધી જયંતી, જાણો તેનુ મહત્વ અને ઈતિહાસ

Vishvambhari Ambe Stuti - વિશ્વંભરી અખિલ વિશ્વતણી જનેતા

સરફરાઝ ખાનનો ભાઈ મુશીર ખાન અકસ્માતનો ભોગ બન્યો, ગંભીર રીતે ઘાયલ

TATA ની ફેક્ટરીમા લાગી આગ, ધુમાડો જોઈને કાળજુ કંપી જશે જુઓ ખોફનાક Video

સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર 36 બુલડોઝર દોડ્યા, કાર્યવાહી પહેલા જ હંગામો, 1400 પોલીસકર્મીઓ તૈનાત

આગળનો લેખ
Show comments