Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજકોટમાં ચારમાંથી માત્ર એક જ દીકરો માતાને સાચવતો, તેને હૃદયની બીમારી હોવાથી અસક્ષમ બન્યો તો ત્રણ ભાઈએ માતાને સાચવવાની ના પાડી દીધી

Webdunia
મંગળવાર, 2 નવેમ્બર 2021 (15:38 IST)
રાજકોટમાં રહેતા એક વયોવૃદ્ધ માતાને સંતાનમાં ચાર- ચાર દીકરા હોવા છતાં પથારીવશ હોવાને કારણે લાચારી ભોગવવાની નોબત આવી હતી. વૃદ્ધાને 4 દીકરા હતા જેમાંથી માત્ર એક જ દીકરો એની સારસંભાળ રાખતો હતો. સમય જતાં એને હૃદયની બીમારી હોવાને કારણે તે માતાની સારસંભાળ રાખવા માટે અસક્ષમ બનતા તેને બીજા ત્રણ ભાઈઓની મદદ માગી હતી, પરંતુ એમને પણ સારસંભાળની ના પાડતા આખરે એક વ્યક્તિએ 181ની મદદ માગી હતી.181ની ટીમે વૃદ્ધાના દીકરાનું કાઉન્સેલિંગ કરીને જવાબદારીનું ભાન કરાવ્યું હતું.રાજકોટ 181 મહિલા હેલ્પલાઈન ટીમને એક વ્યક્તિએ જાણ કરેલ કે એક વૃદ્ધ માજી છે જેને ચાર દીકરા છે અને એક દીકરી છે માજી પથારીવશ છે દીકરાઓ રાખવાની ના પાડે છે. કોલ આવતા કાઉન્સેલર ચંદ્રિકાબેન મકવાણા અને મહિલા કોન્સ્ટેબલ પુષ્પાબેન બાબરિયા તથા ચાંચિયા કૌશિકભાઈ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે પીડિતા માજી બોલી કે સાંભળી નહોતા શકતા. માજી ફક્ત જોઈ શકતા હતા માજી ખાટલામાંથી ઊભા પણ થઈ શકતા નહોતા. પીડિતા માજીને તેમનો સૌથી નાનો દીકરો સાચવતો હતો માજીના બીજા ત્રણ દીકરા હતા પરંતુ એકેય ધ્યાન નહોતા આપતા નાનાભાઈ બીમાર રહે છે હૃદયની બીમારી હોય માજીને ઊંચકી નથી શકતા માજી પોતે ચાલી શકતા નથી, શૌચાલય જવા માટે લઈ જવાની પણ તકલીફ છે, માજીને બીજા પણ દીકરા છે એ રાખતા ન હતા. આથી તે દીકરાઓને બોલાવેલ તે દીકરાઓનું કાઉન્સેલિંગ કર્યું હતું. જેમાંથી એક ત્રીજા નંબરના દીકરાએ એવું જણાવેલ કે તેમના પત્નીની પ્રસૂતિ વખતે માતા આવ્યા ન હતા આથી નહીં સાચવે. આથી તે દીકરાને કાયદાનું ભાન કરાવ્યું હતું. મોટો દીકરો માજીને રાખવા કહે તો રાખવા અને ભરણપોષણ આપવાનું હોય તો તેવી રીતે પણ તૈયાર છે, પરંતુ ત્રીજા નંબરનો દીકરો સમજતો ન હોય કાઉન્સેલિંગની જરૂરિયાત જણાતા કાર્યવાહી માટે નારી કોર્ટમાં અરજી અપાવેલ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

આગળનો લેખ
Show comments