Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફરી ગુજરાતમાં ધર્મના નામે ધાડેધાડા ઉમટ્યા, સોશિયલ ડિસ્ટેસિંગના ધજાગરા ઉડ્યા, મહિલે ગરબે ઘૂમી

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (09:11 IST)
હવે જ્યારે છેલ્લા એક અઠવાડિયાથી ગુજરાતમાં સતત કોરોના વાયરસનું સંક્રમણ ધીમે ધીમે ઘટી રહ્યું છે. ત્યારે ઘણી જગ્યાએ લોકો કોરોનાના નિયમોના ધજાગરા ઉડાવતા હોવાનું સામે આવ્યા છે. થોડા સમય પહેલાં અમદાવાદ નજીક એક ધાર્મિક કાર્યક્રમમાં મહિલાઓ એકઠી થઇ હતી. એ વાતના પડઘા હજુ શાંત થયા નથી ત્યાં તો રાજધાની ગાંધીનગરના પાલોડિયામાં કેટલાક લોકો કોરોનાની ગાઇડલાઇનનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા.  
પાલોડિયાના એક ગામની મહિલાઓ ધાર્મિક કાર્યક્રમમાં એકસાથે નકળી હતી. અહીં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ઘણી મહિલાઓ, બાળકો અને લોકો એક ધાર્મિક કાર્યક્રમમાં જોડાયા છે. જેમાં ગામમાં કોરોના કેસ ઘટે એ માટે ગામની મહિલાઓ વિધિ કરવા બહાર નીકળી હતી. મોટી સંખ્યામાં મહિલાઓ માથા પર બેડુ ઉપાડીને વિધિ કરતી જોવા મળી હતી. 
 
આ દરમિયાન કોઇએ માસ્ક પહેર્યું નથી અને ના તો સોશિયલ ડિસ્ટેસિંગનું પાલન કરવામાં આવ્યું છે. એટલું જ નહી વાયરલ વીડિયોમાં બધા ગરબે રમતા જોવા મળે છે. તો બીજી તરફ વીડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી ગઇ છે અને  ઘટના બાદ ગુનો નોંધાયો છે. પોલીસ દ્વારા 35 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. કુલ 10 થી 12 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે. ગામમાં સરપંચ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. 188 કલમ અને એપેડેમિક એક્ટ અંતર્ગત 3 જાહેરનામાના ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરાઈ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

તિરુપતિ મંદિરના પ્રસાદ વિવાદમાં સાંભળવા મળતા એનિમલ ટેલો, લાર્ડ અને માછલીના તેલ જેવા નામોનો અર્થ શું છે?

World peace day 2024: દુનિયામાં વધી રહી છે અશાંતિ, જાણો શુ સંદેશ આપે છે વિશ્વ શાંતિ દિવસની આ વર્ષની થીમ ?

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments