Webdunia - Bharat's app for daily news and videos

Install App

એવું ન થાય કે ગુજરાતમાં શિક્ષણ મુદ્દે મોટું જનઆંદોલન ઉભું થઈ જાય - હાર્દિક પટેલનાં પત્રમાં શિક્ષણમંત્રીને ચિમકી

Webdunia
ગુરુવાર, 28 જૂન 2018 (15:08 IST)
, ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ખુલ્લો પત્ર લખ્યો છે. હાર્દિકે પત્રમાં આરટીઈના અમલમાં થતાં ઠાગાઠૈયા અંગે આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે પત્રમાં શિક્ષણમંત્રીને ચિમકી આપતાં જણાવ્યું છે કે, એવું ન થાય કે ગુજરાતમં શિક્ષણ મુદ્દે મોટું જનઆંદોલન ઉભું થઈ જાય.

આરટીઈ એક્ટ મુજબ જો કોઈ બાળકને પ્રવેશ મળે છે તો પણ તે બાળક સાથે અમીરી ગરીબીનો ભેદભાવ થાય છે અને આ ભેદભાવ ભારતના બંધારણનું અપમાન કરે છે. આરટીઈ એક્ટ હેઠળ ગરીબ બાળક તરીકે પ્રવેશ લેવો એ ગુનો નથી. છતાં શાળા સંચાલકો આ બાળકો સાથે અમીરી ગરીબીનો ભેદભાવ રાખી સામાન્ય બાળક અને આરટીઈ હેઠળના બાળકોના વર્ગખંડ અલગ અલગ રાખીને ગરીબી અને અમીરી વચ્ચે વૈમનશ્ય ફેલાવાનું ષડયંત્ર થઇ રહ્યું છે. 

હાર્દિક પટેલે પત્રમાં લખ્યું છે કે, આરટીઈ એક્ટ હેઠળ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર આપવામાં આવ્યો છે. જેમાં ૫થી ૧૪ વર્ષની વયજૂથના તમામ બાળકોને તત્કાલીક પ્રવેશ આપવો જરૂરી છે. પરંતુ હજુ પણ ૩૦,૦૦૦થી વધુ ગરીબ બાળકો પ્રવેશથી વંચિત છે. જેનું મુખ્ય કારણ છે ખાનગી શાળા સંચાલકોની વધતી જતી દાદાગીરી અને મનમાની. 

સંબંધિત સમાચાર

ગાંઠિયાનું શાક બનાવવાની રીત

બાળકમાં confidence વધારવા માટે પેરેંટસ કરો આ કામ, જીવનના દરેક પરીક્ષામાં થશે પાસ

આ સમસ્યાઓમાં હળદરનું સેવન ન કરવું જોઈએ

શરીરની જીદ્દી ચરબી ઘટાડવા માટે બકાસન કરો

World Hypertension Day 2024-હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

Jokes- હા, કંજૂસ તો છે

કાંસમાં હાથમાં પ્લાસ્ટર સાથે દેખાઈ ઐશ્વર્યા, પુત્રી આરાધ્યાએ દરેક પગલે આપ્યો માતાનો સાથ

Vicky Kaushal Birthday: 'ગેંગ્સ ઓફ વાસેપુર'ના શૂટિંગ દરમિયાન વિક્કીને જવું પડ્યું હતું જેલ, જાણો શું હતો મામલો

પિંક ડ્રેસમાં ઉર્વશી રોતેલાએ કાન્સની રેડ કાર્પેટ પર હુસ્નનો જાદુ વિખેર્યો

રાખી સાવંતની હાલત ખરાબ, દિલની બીમારીનો સામનો કરી રહેલી અભિનેત્રી હોસ્પિટલમાં દાખલ

આગળનો લેખ
Show comments