Webdunia - Bharat's app for daily news and videos

Install App

એરફોર્સે ગુજરાતમાં છેલ્લાં આઠ દિવસમાં 200 લોકોને ડૂબતા બચાવ્યા

Webdunia
મંગળવાર, 13 ઑગસ્ટ 2019 (12:10 IST)
ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં એરફોર્સે છેલ્લાં આઠ દિવસમાં ૨૦૦ લોકોને ડૂબતા બચાવ્યા છે. ગુજરાતમાં કાર્યરત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ(સ્વેક) ર્દ્વારા બચાવ કામગીરી માટે આઠ હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. જે  પૈકી કેટલાંક હેલિકોપ્ટર એમ.આઇ.-૧૭  પ્રકારના પણ હતા.
ચોથી ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી નસવારીમાં ફસાયેલા ૪૫ પુરૃષો, સ્ત્રીઓ અને બાળકોને એરલિફ્ટ કરી સુરતમાં સલામત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. જામનગરના જોડિયા પંથકમાં ૧૦મી ઓગસ્ટે ૯થી દસ ઇંચ વરસાદ પડયો હતો અને આજી-૪ ડેમ ઓવરફ્લો થતા તેના ૫૬ પૈકી ૫૦ દરવાજા ખોલવામાં આવ્યા હતા. જેના કારણે આ વિસ્તારના બેટમાં પરિવર્તિત થયો હતો. અહીં એરફોર્સે એમ.આઇ.-૧૭ના હેલિકોપ્ટરો મોકલી ૨૯ વ્યક્તિઓનો બચાવ કર્યો હતો. જેમાં એક સગર્ભા મહિલા પણ હતી.
૧૧મી ઓગસ્ટે કચ્છના હાજીપીર વિસ્તારમાં  પૂરની પરિસ્થિતિના કારણે એક ખાનગી કંપનીના ૩૦૦ કર્મચારીઓ ફસાયા હતા.  ફેક્ટરી સુધાના ડામર રોડનું પણ ધોવાણ થતા ફેક્ટરીની ચારે તરફ પાણી ભરાયા હતા. એન.ડી.આર.એફ. અને સ્થાનિક પોલીસે ૧૭૫ લોકોનો બચાવ કર્યો હતો પરંતુ ત્યારબાદ પરિસ્થિતિ ગંભીર બનાતા જિલ્લા વહીવટી તંત્રએ એરફોર્સની મદદ માગી હતી. જામનગરથી એમ.આઇ.-૧૭ હેલિકોપ્ટર મોકલી બાકીના ૧૨૫ લોકોને બચાવવામાં આવ્યા હતા.
આ રેસ્ક્યુ ઓપરેશન માટે  મીડિયમ લિફ્ટ હેલિકોપ્ટર અને ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને ગુજરાત અને મહારાષ્ટ્રના સિવિલ એરપોર્ટ અને એરફોર્સ સ્ટેશન પરથી ઉડાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત સોર્ટી તરીકે ઓળખાતા ૭૪ નાના પ્લેન પણ સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ દ્વારા ઉડાડવામાં આવ્યા છે. આ તમામ એરક્રાફ્ટના માધ્મયથી ગુજરાતમાં ૨૦૦ લોકોના જીવ બચાવાયા હતા. આ ઉપરાંત ૨૩ ટન રાહતસામગ્રીની તેમજ એન.ડી.આર.એફ।, સ્ટેટ ડી.આર.એફ, આર્મી અને નેવીના ૧૨૪ કર્મચારીઓની હેરફેર અત્યાર સુધીમાં કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર

બાથરૂમમા નળથી પાણી આવે છે Slow તો, આ સરળ ટિપ્સની મદદથી કરો ઠીક

Happy Mothers Day 2024 Gujarati Quotes wishes - માતેમા બીજા બધા વગડાના વા... મધર્સ ડે પર આ વિશેષ મેસેજીસ દ્વારા તમારી માતાને આપો શુભેચ્છા..

mulberry- શેતૂર ખરીદતી વખતે આ વાતોનું ધ્યાન રાખો, તમારા પૈસાનો વ્યય નહીં થાય

યુરિક એસિડના દર્દીઓ માટે ફાયદાકારક કેળા, જાણો કેવી રીતે સેવન કરવાથી યૂરિક એસીડ થશે કંટ્રોલ ?

કોવિશીલ્ડના સાઈડ ઈફેક્ટ્સ, શુ આ વેક્સીન લેનારાઓને કોઈ જોખમ ખરુ ?

BJP મા જોડાઈ Anupama, રૂપાલી ગાંગુલીની પોલીટિક્સમાં એંટ્રી, ભાજપામાં થઈ સામેલ

Anushka Sharma Birthday: અનુષ્કા શર્માનો 36મો જન્મદિવસ, જાણો તેમના જીવન સાથે જોડાયેલી રોચક વાતો

ગુજરાતી જોક્સ - ગરમીનો મજેદાર જોક્સ

Top 15 Religious places of Gujarat- ગુજરાતના જાણીતા સ્થળો

જોકસ - મંદિરમાં પુજારી

આગળનો લેખ
Show comments